ગુજરાત

gujarat

ETV Bharat / state

અંકલેશ્વરની કનોરીયા કેમિકલ કંપની નજીકથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો

અંકલેશ્વરની કનોરીયા કેમીકલ કંપની નજીકથી યુવાનનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં પોલીસે ઘટના સ્થળે પહોંચી ઉપયોગમાં લીધેલો પથ્થર કબ્જે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

By

Published : Jun 1, 2020, 12:04 AM IST

etv bharat
etv bharat

ભરૂચ : અંકલેશ્વરની કનોરીયા કેમિકલ કંપની નજીકથી યુવાનનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.

અંકલેશ્વર GIDCના લક્ષ્મણ નગરમાં રહેતો અને મૂળ બિહારનો ૨૫ વર્ષીય પપ્પુ તેમના રૂમ પરથી કોઈક કામ અર્થે નીકળ્યો હતો. જે બાદથી તે ગુમ થયો હતો. રવિવારે સવારના સમયે GIDCની કનોરીયા કેમિકલ કંપની નજીક કોઈક અજાણ્યા યુવાનના મૃતદેહની સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી.

યુવાનનો મૃતદેહ મળી આવ્યો

આ સમગ્ર ઘટનાની જાણ થતા જ GIDC પોલીસનો કાફલો ઘટના પહોચ્યો હતો. જેમાં યુવાનની હત્યા કોણે અને કયા કારણથી કરી છે, સહિતની વિગતો મેળવવા પોલીસે કવાયત હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details