ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચમાં અપશબ્દ બોલવા બાબતે પાડોશીએ પાડોશીનો જીવ લીધો - bharuch latest news

ભરૂચ: આમોદનાં માંડવા ફળિયા વિસ્તારમાં રહેતા વિનોદ રાઠોડે પોતાના ઘરની સામે રહેતા મનુ રાઠોડને આવેશમાં આવી જઈ હથિયારનાં ઉપરાછાપરી ઘા મારી દીધા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલ મનુનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ પોલીસે હત્યારા મનુ રાઠોડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ

By

Published : Oct 7, 2019, 8:39 PM IST

ભરૂચનાં આમોદ ખાતે બે પાડોશીઓ વચ્ચેની ઉગ્ર તકરારમાં તીક્ષ્ણ હથિયારનાં ઘા મારી મોત નીપજાવવાની ઘટના સામે આવી છે. આમોદનાં માંડવા ફળિયા વિસ્તારમાં રહેતા વિનોદ ઉકડ રાઠોડે પોતાના ઘરની સામે રહેતા મનુ રાઠોડની તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હતી.

ભરૂચનાં આમોદમાં સામાન્ય બોલાચાલીમાં તિક્ષ્ણ હથિયારનાં ઘા મારી એક વ્યક્તિની હત્યા

ગાળ બોલવા જેવી નાની બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને મારામારીમાં વિનોદ રાઠોડે તેના પાડોશી મનુને તીક્ષ્ણ હથિયારનાં ઉપરાછાપરી ઘા મારી દીધા હતા, જેમાં ગંભીર રીતે ઘવાયેલ મનુનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ આમોદ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો. આ તરફ પોલીસે ગણતરીના સમયમાં ગામમાંથી જ હત્યારા મનુ રાઠોડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details