ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચમાં નર્મદા જંયતિની ઉજવણી કરવામાં આવી - narmda updates

ભરૂચનાં દશાશ્વમેઘ ઘાટ પર આવેલા પૌરાણિક નર્મદા માતાજીના મંદિરે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં નર્મદા જયંતી નિમિતે ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પૂજામાં માતાજીને 250 લિટરથી પણ વધારે દૂધનો અભિષેક કરાયો હતો.

ભરૂચ
ભરૂચ

By

Published : Feb 1, 2020, 6:11 PM IST

નર્મદાઃ મહાસુદ સાતમના દિવસે નર્મદા જયંતીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના દશાશ્વમેઘ ઘાટ પર આવેલા પોરાણિક નર્મદા માતાજીના મંદિરે દૂધનો અભિષેક સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

ભરૂચમાં નર્મદા જંયતીની ઉજવણી કરવામાં આવી
લોકમાતા નર્મદાની આજે જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. શિવપુત્રી તરીકે ઓળખાતા નર્મદા નદીનું પ્રાગટ્ય મહાસુદ સાતમના રોજ થયું હતું, ત્યારે આ પવિત્ર નદીના કિનારે જે શહેર વસેલું છે, એવા ભરૂચમાં નર્મદા જયંતીની અત્યંત ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના દશાશ્વમેઘ ઘાટ પર આવેલા પોરાણિક નર્મદા માતાજીના મંદિરે 250 લિટરથી પણ વધારે દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો, તો આ સાથે જ નવચંડી યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા, જેનો ભાવિક ભક્તોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

ABOUT THE AUTHOR

...view details