ભરૂચઃ કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા દેશમાં 21 દિવસનું લોકડાઉન 3 મે સુધી લંબાવવામાં આવ્યું છે. આવતી કાલથી વીજ તબક્કાનું લોકડાઉન શરૂ થશે. એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં સુરક્ષા અને સલામતીના પગલા લેવામાં આવી રહ્યા છે. લોકડાઉનનાં સમયમાં પણ ફાર્મા સહિતના ઉદ્યોગો ચાલુ રાખવા તંત્ર દ્વારા પરવાનગી આપવામાં આવી છે.
લોકડાઉનનો કડક અમલ કરાવવા અંકલેશ્વર GIDCના 6 પ્રવેશદ્વાર બંધ
એશિયાની સૌથી મોટી GIDCમાં લોકડાઉનનો કડક અમલ કરાવવા અંકલેશ્વર GIDCના 6 પ્રવેશદ્વાર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
લોકડાઉનનો કડક અમલ કરાવવા અંકલેશ્વર GIDCના 6 પ્રવેશદ્વાર બંધ
ઔદ્યોગિક વસાહતમાં લોકોની અવર જવર રહે છે. નોટીફાઈડ એરિયા ઓથોરીટી દ્વારા જીઆઈડીસીમાં પ્રવેશવાના વિવિધ 6 માર્ગો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ ઉપરાંત એન્ટ્રસ ગેટથી અંદર પ્રવેશતા લોકોનું સ્ક્રીનીંગ પણ કરવામાં આવશે.