- અંકલેશ્વર વોર્ડ નં- 7માં 200 વ્યક્તિના નામ મતદાર યાદીમાંથી ગાયબ
- મતદાન યાદી સુધારણા કાર્યક્રમ જાણ થતા લોકોમાં જોવા મળ્યો રોષ
- મતદાન યાદી સુધારણા કાર્યક્રમ ન યોજાયો હોત તો હકીકત સામે ન આવત અંકલેશ્વરમાં વોર્ડ 7માં મતદાર યાદીમાંથી 1 નહીં 2 નહીં 200 લોકોના નામ જ ગાયબ...
ભરૂચઃ અંકલેશ્વર નગર પાલિકાના વોર્ડ નંબર-7માં આવતા બે વિસ્તારના 200થી વધુ મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરાતા સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો હતો. અંકલેશ્વરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત આ જાણ થતા લોકોએ હોબાળો મચાવ્યો હતો. છેલ્લા ચાર રવિવારથી વિવિધ વિસ્તારમાં મતદાર યાદી સુધારણા અંગેના કેમ્પ યોજવામાં આવ્યા હતા, જેમાં નામ ઉંમેરવા, નામ કમી કરવા, નામમાં ફેરફાર સહિતના કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા.