ઝઘડિયામાં દીપડાનો મૃતદેહ મળી આવતા તપાસ શરૂ - ગુજરાતમાં દિપડો દેખાવાની ઘટના
ઝઘડિયાના ગુમાનદેવ નજીકથી દીપડાનો મૃતદેહ મળી આવતા વન વિભાગ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે
![ઝઘડિયામાં દીપડાનો મૃતદેહ મળી આવતા તપાસ શરૂ ઝઘડિયામાં દીપડાનો મૃતદેહ મળી આવતા તપાસ શરૂ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5805892-574-5805892-1579717559230.jpg)
ઝઘડિયામાં દીપડાનો મૃતદેહ મળી આવતા તપાસ શરૂ
ભરૂચઃ ઝઘડિયાના ગુમાનદેવ ગામની સીમમાં દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો.ગ્રામજનોએ આ અંગે વન વિભાગને જાણ કરતા વન વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરુ કરી હતી જેમાં દીપડાનું મોત કરંટ લાગતા નીપજ્યું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે, દીપડાના મોતનું સાચું કારણ પોસ્ટ મોર્ટમ રીપોટ બાદ જ બહાર આવશે.