ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચ નગર પાલિકા દ્વારા અઢી દિવસનો પાણી કાપ, અન્ય સુવિધા ઉપલબ્ધ કરવા લોક માગ - ભરૂચ નગર સેવા સદન દ્વારા આજથી અઢી દિવસનો પાણી કાપ અપાયો

ભરૂચના અયોધ્યા નગર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મેઈન લાઈનનાં પાંચબત્તી સંપ સાથે જોડાણના પગલે નગર પાલિકા દ્વારા અપાતો પાણી પૂરવઠો બંધ રખાયો. જેની અસર આશરે 1 લાખ લોકોને થતાં સ્થાનિકોમાં ચિંતામાં મૂકાયાં છે. ત્યારે તંત્ર દ્વારા આ સમય દરમિયાન પાણી માટેની અન્ય સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી લોક માગ પ્રબળ બની છે.

bharuch
bharuch

By

Published : Feb 22, 2020, 4:51 PM IST

ભરૂચ: નગર સેવા સદન દ્વારા 22 ફેબ્રુઆરીથી અઢી દિવસ માટે પાણી કાપ આપવામાં આવ્યો છે. કારણ કે, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મેઈન લાઈનમાં પાઈપ લાઈનમાં ફલો મીટર ઇન્સ્ટોલનું કામ કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. જેના પગલે તંત્ર પાણી પર કાપ મૂકાયો છે.

ભરૂચ નગર સેવા સદન દ્વારા શનિવારથી અઢી દિવસ માટે શહેરમાં પાણી કાપ આપવામાં આવ્યો છે. તારીખ 22 અને 23 ફેબ્રુઆરીનાં રોજ નગર પાલિકા દ્વારા અપાતો બંને સમયનો પાણી પૂરવઠો બંધ રહેશે, તો 24 ફેબ્રુઆરીનાં રોજ સવારના સમયે અપાતો પાણી પૂરવઠો બંધ રહેશે. નગર સેવા સદન દ્વારા અયોધ્યા નગર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મેઈન લાઈનના પાંચબત્તી સંપ સાથે જોડાણ અને માતરીયા ઈન્ટેકવેલ પાઈપ લાઈનમાં ફલો મીટર ઇન્સ્ટોલનું કામ કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે.

ભરૂચ નગર સેવા સદન દ્વારા આજથી અઢી દિવસનો પાણી કાપ અપાયો

આ કામગીરી ગત રાતથી જ શરુ કરી દેવામાં આવી છે. આજરોજ નગર સેવા સદનના પ્રમુખ સુરભી તમાકુવાલા અને અધિકારીઓએ કામગીરીનું નિરિક્ષણ પણ કર્યું હતું. પાણી કાપના પગલે ભરૂચ શહેરના 1 લાખ લોકોને અસર થશે અને પાણી વગર વલખા મારવાનો વારો આવશે. ત્યારે ગૃહિણીઓ વહેલી તકે કામગીરી પૂર્ણ કરી નગર પાલિકા રાબેતા મુજબ પાણી આપે એવી માગ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details