ગુજરાત

gujarat

ETV Bharat / state

AAPના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પટેલ વેલફેર હોસ્પિટલની મુલાકાત લીધી - Fire incident in bharuch

ભરૂચના મહંમદપુરા વિસ્તારમાં આવેલા પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલમાં સર્જાયેલા અગ્નિકાંડમાં 18 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારે આજ રોજ આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ આજ રોજ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

AAPના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પટેલ વેલફેર હોસ્પિટલની મુલાકાત લીધી
AAPના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પટેલ વેલફેર હોસ્પિટલની મુલાકાત લીધી

By

Published : May 6, 2021, 8:58 AM IST

  • 30મી એપ્રિલએ કોવિડ પટેલ વેલફેર હોસ્પિટલમાં આગ લાગી હતી
  • સારવાર લઇ રહેલા 18 દર્દીઓના મોત
  • AAPના અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા તેમની ટીમ સાથે હોસ્પિટલ પોંહચ્યા
    AAPના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પટેલ વેલફેર હોસ્પિટલની મુલાકાત લીધી

ભરૂચ :કોવિડ પટેલ વેલફેર હોસ્પિટલમાં તારીખ 30મી એપ્રિલની મધ્ય રાત્રિએ ICU વોર્ડમાં અચાનક આગ ફાટી નીકળી હતી જેમાં સારવાર લઈ રહેલા દર્દીઓ સહિત કુલ 18 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતના અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા તેમની ટીમ સાથે પટેલ વેલફેર હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું તો સાથે જ સરકાર આવી ઘટના બનતી અટકાવે એવા પગલા લેવા માંગ કરી હતી.

પટેલ વેલફેર હોસ્પિટલ

આ પણ વાંચો : ભરૂચની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં 18ના મોત, વડાપ્રધાન મોદીએ સંવેદના કરી વ્યક્ત

રાજકારણ કે આક્ષેપ-પ્રતિ આક્ષેપ નહિ કરે

આ સાથે જ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, આ સમયે તેઓ કોઈ રાજકારણ કે આક્ષેપ-પ્રતિ આક્ષેપ નહિ કરે. પરંતુ કોરોના કાળમાં તેમની પાર્ટી માત્ર સેવા જ કરશે. ભાજપ સરકારની નીતિઓનો આવનારા દિવસોમાં જોરદાર વિરોધ કરાશે.

આ પણ વાંચો : ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં આગની ઘટનામાં બચી ગયેલી નર્સએ વર્ણવી સમગ્ર ઘટના

ABOUT THE AUTHOR

...view details