ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચમાં કોરોનાનાં વધુ 21 પોઝિટિવ કેસ નોંધાયા - ભરૂચમાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા

ભરૂચ જીલ્લામાં શુક્રવારે કોરોનાના 21 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી કોરોના કેસની સંખ્યા 945 પર પહોચી છે.

ETV bharat
ભરૂચ: જીલ્લામાં વધુ કોરોનાના 21 પોઝિટિવ કેસ નોધાયા

By

Published : Jul 31, 2020, 8:27 PM IST

ભરૂચ: શહેર અને જીલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે. ત્યારે શુક્રવારે જીલ્લામાં કોરોનાના 21 પોઝિટિવ કેસ નોધાયા છે. તો 12 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે.

નવા નોંધાયેલા કેસની સાથે ભરૂચ જીલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 945 પર પહોચી છે.જે માંથી 20 દર્દીના મોત નીપજ્યા છે.તેમજ 666 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે.

ભરૂચ જીલ્લામાં શુક્રવારે નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસની સંખ્યા પર તાલુકાવાર નજર કરીએ તો ભરૂચમાં 9, આમોદમાં 1 ,અંકલેશ્વરમાં 5, તો જંબુસર ઝઘડિયા અને હાંસોટમાં કોરોના વાઇરસના 2-2 પોઝિટિવ કેસ નોધાયા છે.

ABOUT THE AUTHOR

...view details