ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના કેસને ધ્યાનમાં રાખી બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે નવું જાહેરનામું બહાર પાડ્યું - Banaskantha District Collector issued

બનાસકાંઠા જીલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા જીલ્લા કલેક્ટરે પહેલાનું જાહેરનામું લંબાવી દિધું છે. જેમાં પાલનપુર અને ડીસા શહેરમાં કોરોના કેસની સંખ્યામાં વધારો થતા, બન્ને શહેરોમાં સાંજે 4 થી સવારના 7 વાગ્યા સુધી જિલ્લા કલેકટરે વેપાર વાણિજ્ય પર પાબંધી મુકતાં લોકડાઉનની સ્થિતિ બની છે. જિલ્લા કલેક્ટર દ્વારા નવું જાહેરનામું બહાર પાડતા 10 ઓગસ્ટ સુધી અમલમાં રહેશે.

જિલ્લા કલેક્ટરે
જિલ્લા કલેક્ટરે

By

Published : Jul 27, 2020, 10:38 PM IST

બનાસકાંઠા: ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જીલ્લામાં કોરોના વાયરસનો કહેર વધતો જાય છે. કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા, જિલ્લા કલેક્ટર દ્રારા ડીસા અને પાલનપુરમાં બપોર 4 વાગ્યા પછી દુકાનો બંધ રાખવાનું જાહેરનામું પહેલા બહાર પાડવામાં આવ્યુ હતુ. તે જાહેરનામાની અવધિ આજે પૂર્ણ થતાં ફરી એકવાર કલેક્ટરે જાહેરનામું બહાર પાડી સાંજે 4 થી સવારના 7 વાગ્યા સુધી વેપાર-વાણિજ્ય બંધ રાખવા જણાવ્યુ છે.

બનાસકાંઠા

જિલ્લા કલેક્ટરે 27 જુલાઈથી 10 ઓગસ્ટ સુધીનું જાહેરનામું અમલમાં મુક્યુ છે. જેમાં પાલનપુર અને ડીસા પાલિકાના સમગ્ર વિસ્તારોમાં તમામ શોપિંગ કોમ્પલેક્ષ, શાકમાર્કેટ, શાકભાજીનું વિતરણ, પાનમસાલાની દુકાનો, ચા-નાસ્તાની લારીઓ, તમામ વોક-વે, બાગ-બગીચા સવારના 7 થી બપોરના 4 વાગ્યા સુધી જ ખુલ્લા રાખવાનો આદેશ કર્યો છે, જવાના કારણે વધુ એકવાર 4 વાગ્યા પછી લોકડાઉન જેવી સ્થિતિ બની છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details