ગુજરાત

gujarat

વાવ તાલુકા અખંડ મેઘવાળ સમાજે બંધારણ દિવસ ઉજવી બાબાસાહેબને યાદ કર્યા

By

Published : Nov 27, 2020, 4:10 PM IST

બંધારણ દિવસની 26 નવેમ્બરે ઊજવણી કરવામાં આવે છે. વાવમાં પણ બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન વાવ એકમ દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અહીં હાજર તમામ લોકોએ બાબાસાહેબ આંબેડકરને યાદ કર્યા હતા.

વાવ તાલુકા અખંડ મેઘવાળ સમાજે બંધારણ દિવસ ઉજવી બાબાસાહેબને યાદ કર્યા
વાવ તાલુકા અખંડ મેઘવાળ સમાજે બંધારણ દિવસ ઉજવી બાબાસાહેબને યાદ કર્યા

  • વાવ તાલુકા અખંડ મેઘવાળ સમાજની વાડીમાં બંધારણ દિવસ ઊજવાયો
  • અખંડ મેઘવાળ સમાજની વાડીમાં કાર્યક્રમ યોજાયો
  • સમાજના તમામ લોકોએ બાબાસાહેબને યાદ કર્યા

વાવઃ તાલુકામાં આવેલી અખંડ મેઘવાળ સમાજની વાડીમાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના દલિત સંગઠન વાવ એકમ દ્વારા આ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભારત દેશનું બંધારણ લખનારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના ફોટા અને બંધારણના પુસ્તકને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન તેમ જ અખંડ મેઘવાળ સમાજ ટ્રસ્ટ દ્વારા ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. જોકે, આ પ્રસંગે અખંડ મેઘવાળ સમાજ ટસ્ટના પ્રમુખ ડોક્ટર અરૂણ આચાર્ય દ્વારા ડોકટર બાબાસાહેબ આંબેડકરે લખેલા બંધારણ વિશે સમાજસેવકોને માહિતી આપી હતી.

વાવ તાલુકા અખંડ મેઘવાળ સમાજે બંધારણ દિવસ ઉજવી બાબાસાહેબને યાદ કર્યા
સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવીભારત દેશના બંધારણ દિવસને લઈ આજે બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન દ્વારા 26 નવેમ્બર બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં દલિત સમાજના કાર્યકર્તાઓ તેમ જ દલિત સમાજના નવયુવાનો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, શિસ્તબદ્ધ સરકારની ગાઈડ લાઈન મુજબ સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
વાવ તાલુકા અખંડ મેઘવાળ સમાજે બંધારણ દિવસ ઉજવી બાબાસાહેબને યાદ કર્યા

ABOUT THE AUTHOR

...view details