વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને ફોન પર જાનથી મારી નાખવાની મળી ધમકી - Guajrati news
બનાસકાંઠાઃ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે. જે મામલે જીગ્નેશ મેવાણીના સાથીએ ફરિયાદ નોંધાવતા પાલનપુર પશ્ચિમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
![વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને ફોન પર જાનથી મારી નાખવાની મળી ધમકી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3812999-thumbnail-3x2-jigoo.jpg)
મળતી માહિતી મુજબ, વરનોડા તાલુકાના માંડલ ગામે અઠવાડિયા અગાઉ એક દલિત યુવકની હત્યા થઈ હતી. જે મામલે દલિત નેતા અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ તેના પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે આ ઘટનાને વખોડી હત્યારાઓને કડક સજા કરવા રજૂઆત કરી હતી. જેથી ગુરુવારના રોજ બપોરના સમયે જીગ્નેશ મેવાણીના મોબાઈલ નંબર ઉપર શંખેશ્વરના વિરેન્દ્રસિંહ દરબાર નામના કોઈ અજાણ્યા શખ્સનો ફોન આવ્યો હતો. ત્યારે જીગ્નેશ મેવાણી ફોન તેના મિત્ર સતીષ નવલસોલા પાસે હતી. ફોન વિરેન્દ્રસિંહ દરબારના વ્યક્તિનો હતો. તે જીગ્નેશ મેવાણીને ઉદ્દેશીને ગાળો બોલતો હતો. તેમજ તમામ દલિતોને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. એટલે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના સાથીએ પાલનુપર પશ્ચિમ પોલીસ મથકે ધમકી આપનાર વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ આધારે આગળની તપાસ હાથ ઘરી છે.