- વાવના વાવડી માઇનોર કેનાલમાં પડયું ગાબડું
- કેનાલોમાં ભંગાણ પડતાં ખેડૂતોમાં રોષ ભભૂકી ઊઠયો
- બનાસકાંઠા જિલ્લામાં પાણી આવતાની સાથે જ કેનાલોમાં ગાબડાના શ્રી ગણેશાય
- સરહદી વિસ્તારમાં ખખડધજ કેનાલોથી ખેડૂતો ત્રાહિમામ
- વાવના વાવડી માઇનોર કેનાલમાં પડયું ગાબડું વાવ તાલુકામાં નર્મદા કેનાલમાં પાણી છોડતાની સાથે કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત
બનાસકાંઠાઃ જિલ્લાના વાવ તાલુકાના વાવડી ગામના ખેડૂતોએ બે દિવસ અગાઉ ખેડૂતોએ કેનાલની જાતે સફાઈ કરી હતી, પરંતુ શનિવારે સવારે વહેલા કેનાલમાં પાણી આવતાની સાથે વાવડી માઇનોરમાં ગાબડું પડ્યું હતું.
કેનાલોમાં ભંગાણ પડતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઊઠયો
બનાસકાંઠાના ખેડૂતોની કાળજાના ટુકડા સમાન જમીન નર્મદાને આપી હતી, પરંતુ આજે શનિવારે નર્મદાના અધિકારીઓની બેદરકારીના લીધે કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. જો કે, નર્મદાના અધિકારી અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીના લીધે કેનાલમાં ગાબડું પડતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.