બનાસકાંઠા: સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. જેને પગલે સમગ્ર વિશ્વનું આરોગ્ય તંત્ર સતર્ક બની ગયું છે. તે દરમિયાન ભારત દેશમાં પણ અલગ-અલગ જગ્યાએ અત્યાર સુધી કોરોના વાયરસના 29 કેસો મળી આવતા અહીં પણ આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચ્યો છે. બનાસકાંઠાના પાલનપુરમાં પણ એક શંકાસ્પદ કોરોના વાયરસ અસર ગ્રસ્ત દર્દી મળી આવતાં આરોગ્ય વિભાગે તાત્કાલિક સારવાર શરૂ કરી દીધી છે.
પાલનપુરમાં કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ મળી આવતાં આરોગ્ય વિભાગમાં દોડધામ - palnpurnews
પાલનપુર તાલુકાના કાણોદર ગામે કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ મળી આવતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. શંકાસ્પદ દર્દીને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ જણાતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ હતી.
![પાલનપુરમાં કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ મળી આવતાં આરોગ્ય વિભાગમાં દોડધામ etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6307134-thumbnail-3x2-asd.jpg)
etv bharat
પાલનપુરમાં કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ મળી આવતાં આરોગ્ય વિભાગમાં દોડધામ
મૂળ પાલનપુર તાલુકાના કાણોદર ગામનો રહેવાસી મુસાયબઅલી શેરસીયા બે મહિના અગાઉ ઈરાન ગયો હતો અને ઈરાનથી પરત આવ્યા બાદ છેલ્લા ત્રણ દિવસથી તેને તાવ, શરદી ,ખાંસી થતાં સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યો હતો. તેની તપાસ દરમિયાન કોરોના વાયરસના લક્ષણો દેખાતા તેને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગે બ્લડના સેમ્પલ લઈ વધુ તપાસ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યા છે.