બનાસકાંઠાઃ ભગવાન સ્વામિનારાયણએ આ પૃથ્વી પર આવી ઉત્સવોના નવા સ્વરૂપ આપ્યા, જેમાનું એક શાકોત્સવ સામેલ છે. આ ઉત્સવ બનાસકાંઠાના ડીસા ખાતે જી. જી. માળી વિદ્યા સંકુલમાં યોજવામાં આવ્યો હતો. આ શાકોત્સવની ઉજવણીમાં સ્વામી મહારાજના આશીર્વાદ અને પ્રવચન આપવા સારંગપુરથી સાધુ વિવેકાનિષ્ઠ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા.
ડીસાની જી.જી માળી વિદ્યાસંકુલમાં શાકોત્સવની ઉજવણી કરાઈ - ડીસા સમાચાર
બનાસકાંઠાના ડીસામાં સ્વામિનારાયણ સંસ્થા દ્વારા શાકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દશ હજારથી વધુ ભક્તોએ ભાગ લઈ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.
![ડીસાની જી.જી માળી વિદ્યાસંકુલમાં શાકોત્સવની ઉજવણી કરાઈ ડીસા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5863162-thumbnail-3x2-dd.jpg)
ડીસા
ડીસાની જી.જી માળી વિધાસંકુલમાં શાકોત્સવની ઉજવણી કરાઇ
વિવેકાનિષ્ઠ સ્વામીએ કૃષ્ણ યુગ અને અત્યારના યુગના તફાવત વિશે ભક્તોને માહીતગાર કર્યા હતા. આ શાકોત્સવમાં જિલ્લાભરમાંથી દસ હજારથી વધુ ભક્તોએ પ્રવચન સાંભળ્યું હતું. જ્યારે વિવિધ શાકભાજીમાંથી બનાવેલા શાક અને રોટલાનો પ્રસાદ દશ હજાર ભક્તોએ લીધો હતો. આ શાકોત્સવમાં યજમાન તરીકે સ્વ. ગોરધનજી ગીગાજી પરિવાર રહ્યું હતું. આ પરિવારે તમામ ખર્ચ ઉપાડી સમગ્ર શાકોત્સવનું આયોજન કર્યું હતું. આ શાકોત્સવનું મહત્વ સ્વામિનારાયણ સંસ્થાના સાધુ ઉત્તમપ્રિયદાસજી મહારાજએ સમજાવ્યું હતું.