ગુજરાત

gujarat

ETV Bharat / state

ચૂંદડીવાળા માતાજીની અંબાજીમાં સમાધિ

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ખ્યાતનામ દિવ્ય શક્તિ એવા પ્રહલાદભાઈ જાની ચૂંદડીવાળા માતાજીનો નશ્વર દેહ અંબાજીના ગબ્બર લવાયો છે. ચુંદડીવાળા માતાજીને આજે સવારે ગુરુપુષ્ય નક્ષત્રમાં 8.15 વાગ્યે અંબાજીના ગબ્બરના તેમના આશ્રમ ખાતે સમાધિ આપવામાં આવી હતી.

By

Published : May 28, 2020, 12:15 AM IST

Updated : May 28, 2020, 10:19 AM IST

ambajiચૂંદડીવાળા માતાજીની અંબાજીમાં સમાધિ
ambajiચૂંદડીવાળા માતાજીની અંબાજીમાં સમાધિ

મહેસાણા: પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ખ્યાતનામ દિવ્ય શક્તિ એવા પ્રહલાદભાઈ જાની ચૂંદડીવાળા માતાજીનો નશ્વર દેહ અંબાજીના ગબ્બર લવાયો છે. ચુંદડીવાળા માતાજીને આજે સવારે ગુરુપુષ્ય નક્ષત્રમાં 8.15 વાગ્યે અંબાજીના ગબ્બરના તેમના આશ્રમ ખાતે અંતિમ વિધિ કરાશેે. અંતિમ વિધિ - ભક્તોને અંતીમ વિધિના દર્શન ઘરે રહી સોશિયલ મીડીયા કે ન્યૂઝ મીડીયા દ્વારા કરવા કરાઈ અપીલ કરવામાં આવી છે. અંતીમ વિધિમાં મર્યાદીત લોકોને મંજૂરી હોવાથી વધુ ભક્તોએ અંબાજી આવવાનું ટાળવા વિનંતી કરાઈ છે.

ચૂંદળીવાળા માતાજી મૂળ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ચરાડા ગામના વતની હતા. તેઓનું મૂળ નામ પ્રહલાદભાઈ જાની હતું. તેઓએ અરવલ્લી ખાતેની ગિરિકંદરાઓમાં અન્નજળનો ત્યાગ કરી તપસ્વીની જેમ ધૂણી ધખાવી હતી. છેલ્લા ઘણા વર્ષોથી તેઓ અન્નજળ ગ્રહણ કર્યા સિવાય માત્ર હવા પર નિર્ભર રહેતા હતા. અંબાજી ખાતે ગબ્બર પાસે તેમનો એક આશ્રમ આવેલો છે. જેમાં આવતા લાખો ભક્તો માતાજીના અન્ન-જળ ત્યાગથી અચરજમાં હતા. માતાજી અન્નજળ વગર કેવી રીતે વર્ષો વર્ષ રહી શકે તે માટે મેડિકલ સાયન્સ દ્વારા પણ અનેક વાર તપાસ કરવામાં આવી હતી. ત્યાં ચૂંદળીવાળા માતાજી વિજ્ઞાન માટે પણ પડકાર સમાન હતા. જેથી તેમનું આ રહસ્ય તમને જીવન દરમિયાન કોઈ જાણી શક્યું નથી. તો ધર્મ, શ્રદ્ધા અને આસ્થામાં માનનારા ભક્તો માટે માતાજી ખુદ એક દિવ્ય શક્તિ હતા. તેમજ તેમના પાસે ચમત્કાર હોવાનું માનતા હતા.

હાલમાં લોકડાઉન વચ્ચે ચૂંદળીવાળા માતાજી પોતાના વતન ચરાડા ગામે આવ્યા હતા. જ્યાં ગતરોજ સોમવારે મધ્યરાત્રીએ તેમણે દેહત્યાગ કર્યો અને દેવલોક પામ્યા. જેની જાણ થતાં જ અંબાજી સહિત સમગ્ર દેશ વિદેશમાં તેમના ભક્તોમાં ભારે શોક પ્રસર્યો છે, તો વહેલી સવારે તેમના પાર્થિવદેહને અંબાજી ખાતે લઈ જઈ આજ અને આવતીકાલ માટે દર્શનાર્થીઓ માટે રાખવામાં આવશે. જે બાદ આગામી 28 મેના રોજ એટલે કે આજે તેમના આશ્રમ ખાતે અંબાજીમાં અંતિમ યાત્રા કાઢવામાં આવશે, બાદમાં તેમને સમાધિ આપવામાં આવશે.

હાલમાં લોકડાઉન વચ્ચે ચૂંદળીવાળા માતાજી પોતાના વતન ચરાડા ગામે આવ્યા હતા. જ્યાં ગતરોજ સોમવારે મધ્યરાત્રીએ તેમણે દેહત્યાગ કર્યો અને દેવલોક પામ્યા. જેની જાણ થતાં જ અંબાજી સહિત સમગ્ર દેશ વિદેશમાં તેમના ભક્તોમાં ભારે શોક પ્રસર્યો છે, તો વહેલી સવારે તેમના પાર્થિવદેહને અંબાજી ખાતે લઈ જઈ આજ અને આવતીકાલ માટે દર્શનાર્થીઓ માટે રાખવામાં આવશે. જે બાદ આગામી 28 મેના રોજ એટલે કે ગુરુવારે તેમના આશ્રમ ખાતે અંબાજીમાં અંતિમ યાત્રા કાઢવામાં આવશે, બાદમાં તેમને સમાધિ આપવામાં આવશે.

Last Updated : May 28, 2020, 10:19 AM IST

ABOUT THE AUTHOR

...view details