ગુજરાત

gujarat

ETV Bharat / state

હવેથી, અંબાજી રોપ-વે પાંચના બદલે ત્રણ દિવસ માટે બંધ રહેશે - gujarat

અંબાજીઃ અમદાવાદના કાંકરીયામાં રાઈડ્સ તુટવાની ઘટનાનાં પડઘા અંબાજીમાં પણ પડ્યા છે. રોપ-વેમાં કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે તકેદારી લેવાય રહી છે. જેને લઇને અંબાજીમાં રોપ-વેના મેન્ટેનન્સ માટે ત્રણ દિવસ રોપ વે ને બંધ કરવામાં આવ્યો છે.

સલામતીના ભાગરુપે અંબાજી રોપ-વેને ત્રણ દિવસ માટે બંધ કરાઈ

By

Published : Jul 23, 2019, 3:15 AM IST

Updated : Jul 23, 2019, 1:28 PM IST

યાત્રાધામ અંબાજના ગબ્બર ખાતે આવેલો રોપ-વે આજથી ત્રણ દિવસ સુધી બંધ કરાયો છે. અમદાવાદની રાઈડ્સ તુટવાની ઘટના પછી યાત્રિકોની સલામતીના ભાગરૂપે રોપ-વે ને મેન્ટેનન્સ માટે ત્રણ દિવસ માટે બંધ કરાયો છે. આમ, તો આ રોપ-વેની સુવિધા 5 દિવસ બંધ રહેનાર હતી. પરંતુ રોજિંદા 1000 થી 1500 જેટલા શ્રદ્ધાળુઓ ગબ્બર ઉપર માં અંબાની અખંડ જ્યોતના દર્શાનાર્થે જતા હોય છે. તેમને વધારે અડચણ ન પડે તે માટે 5 ના બદલે હવે 3 દિવસ જ રોપ-વે બંધ રાખવાનો મહત્વનો નિર્ણય લીધો છે. જે 25 જુલાઈથી રાબેતા મુજબ શરૂ કરાશે. સોમવારે રોપ-વે બંધ થતા શ્રદ્ધાળુઓ પગપાળા ગબ્બર ચડતા જોવા મળ્યા હતા.

સલામતીના ભાગરુપે અંબાજી રોપ-વેને ત્રણ દિવસ માટે બંધ કરાઈ
Last Updated : Jul 23, 2019, 1:28 PM IST

ABOUT THE AUTHOR

...view details