અંબાજી:યાત્રાધામ અંબાજી ખાતે છેલ્લા 2 વર્ષ કોરોના મહામારીના કારણે મા અંબા નો પ્રાગટ્યોત્સવ ઉજવાયો ન હતો, પણ હવે કોરોના ઠંડો પડતા આ વખતે અંબાજી મંદિરમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક માં અંબેના પ્રાગટ્યોત્સવની ઉજવણીનો પ્રારંભ કરાયો છે. (Pragtyotsav of Maa Amba was celebrated at Ambaji) પોષસુદ પુર્ણીમાંને માં અંબાનો જન્મોત્સવ એટલે પ્રાગટ્ય ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે.
લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો:આજે પોષી પુનમ છે, ત્યારે ગત રાત્રીએ મા અંબાના ચાચર ચોકમાં ભવ્ય રંગારંગ સાંસ્કૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેને ધાર્મીક ઉત્સવ સેવા સમિતિ ના પ્રમુખ. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના નાયબ ઈજનેર ગીરીશભાઈ પટેલ દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમમાં ખુલ્લો મુકવામાં આવ્યો હતો, 2 વર્ષ બાદ અંબાજી મંદિરના ચારચાર ચોકમાં ઉજવાઈ રહેલા આ સાંસ્કૃતિક કાર્યક્રમને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.