ગુજરાત

gujarat

ETV Bharat / state

પાલનપુર નગરપાલિકા દ્વારા લિઝધારકો પાસેથી 75 લાખની કરાઇ વસૂલાત

પાલનપુર નગરપાલિકાએ હવે બાકીદારો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. પાલિકા ટીમે છેલ્લાં ત્રણ મહિનાથી બાકીદારોની મિલકત સીલ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરતા પાલિકા ટીમને ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં જ રૂપિયા 75 લાખો રૂપિયાની આવક થઈ છે. જોકે ભાડાની રકમ વસૂલ કરવામાં કેટલીક જગ્યાએ વ્હાલાં દવાલાંની નીતિ અપનાવાઇ રહી છે.

By

Published : Mar 25, 2021, 7:22 PM IST

Updated : Mar 25, 2021, 7:50 PM IST

પાલનપુર નગરપાલિકાએ લિઝધારકો પાસેથી 75 લાખની કરી વસુલાત
પાલનપુર નગરપાલિકાએ લિઝધારકો પાસેથી 75 લાખની કરી વસુલાત

  • પાલનપુર નગરપાલિકા છેલ્લાં ત્રણ મહિનાથી એક્શન મોડમાં
  • પાલનપુર નગરપાલિકાએ અત્યાર સુધીમાં 75 લાખનું ભાડું કર્યું વસૂલ
  • બાકીદારો સામે પાલનપુર પાલિકાની કડક કાર્યવાહી

બનાસકાંઠાઃ પાલનપુર નગરપાલિકાએ બનાસકાંઠા જિલ્લાની સહુથી મોટી નગરપાલિકા છે, પરંતુ બાકી લેણાની બાબતમાં પણ પાલનપુર પાલિકા પ્રથમ નંમબરે છે. શહેરની કુલ 1,239 દુકાનો નગરપાલિકાની માલિકીની છે. જેને પાલિકાએ લીઝ પર વેપારીઓને ભાડા પટ્ટાથી આપેલી છે. જેનું દર મહિના પ્રમાણે ભાડું નિયત કરેલું છે પરંતુ શહેરમાં અનેક દુકાનદારો એવા છે જેમનું લાખ્ખો રૂપિયાનું ભાડું છેલ્લાં કેટલાંય વર્ષોથી બાકી છે. આવા બાકીદારોને અનેક નોટિસો આપી હોવા છતાં તેમના દ્વારા બાકી લેણાની રકમ ભરપાઈ નહિ કરાતાં પાલિકાએ છેલ્લાં ત્રણ મહિનાથી દુકાનોને સીલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. જેનાં લીધે અત્યાર સુધીમાં પાલિકાએ રૂપિયા 75 લાખની ભાડાની રકમ વસૂલ કરી છે. જ્યારે હજુ 25 લાખ જેટલું ભાડું બાકી હોવાથી અન્ય બાકીદારો સામે પણ પાલિકા કડક કાર્યવાહી કરી રહ્યું છે.

પાલનપુર નગરપાલિકાએ લિઝધારકો પાસેથી 75 લાખની કરી વસુલાત

આ નાણા શહેરના વિકાસ માટે વપરાશેઃ ટેક્ષ વિભાગ

પાલનપુર નગરપાલિકાના ટેક્ષ વિભાગના હેડ ક્લાર્ક ગજેન્દ્રભાઈએ મીડિયા સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે, પાલિકાએ લીઝ પેટે ભાડા પટ્ટાથી જે દુકાનો આપેલી છે, તે તમામ દુકાનોનું એક કરોડનું ભાડું બાકી હતું. જેમાંથી અત્યાર સુધીમાં 75 લાખ રૂપિયા વેપારીઓએ જમા કરાવ્યા છે,અને આ નાણાંનો ઉપયોગ પાલિકા શહેરનાં વિકાસકાર્યો પાછળ ખર્ચ કરશે વધુમાં તેમ જણાવ્યું હતું.

1,239 જેટલી દુકાનો લિઝ પર અપાઇ

પાલનપુર શહેરમાં 1,239 જેટલી દુકાનો લિઝ પર અપાઇ છે પરંતુ પાલિકા ભાડું વસૂલ કરવાની આ કામગીરીમાં વ્હાલા દવાલાંની નીતિ અપનાવી રહી હોવાના બનાવો પ્રકાશમાં આવ્યા છે. શહેરનાં જાગૃત નાગરિક અને સિનિયર પત્રકાર સીતાબભાઈ કાદરીએ આ મુદ્દે જણાવ્યું હતું કે, પાલિકા ભાડું વસૂલે તે સારી બાબત છે પરંતુ તેમાં વગદારો સામે ઢીલી નીતિ અપનાવી સામાન્ય માનસને રંજાળતી હોય તેવા બનાવો પ્રકાશમાં આવી રહ્યાં છે. જે અયોગ્ય બાબત છે તેમ તેઓએ ઉમેર્યું હતું.

Last Updated : Mar 25, 2021, 7:50 PM IST

ABOUT THE AUTHOR

...view details