અંબાજી: ભાદરવી મેળાનો CM રૂપાણીના હસ્તે પ્રારંભ કરાયો - અંબાજી
બનાસકાંઠાઃ ગબ્બરગઢમાં બિરાજેલા માઁ અંબાના દ્વાર અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રારંભ કરાવ્યો છે. પત્ની સાથે આવેલા CM રૂપાણીએ મંગળા આરતી કર્યા માઁ જગદંબા સામે શીશ ઝુકાવીને મહામેળાને ખુલ્લો મુક્યો હતો.
devotes
51 શક્તિપીઠોમાં જેનું અગત્યનું સ્થાન છે. એવા અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થયો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખાસ ઉપસ્થિત રહી આ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. વહેલી સવારે મંગળા આરતી કર્યા બાદ CMએ માતાને ધજા પણ ચડાવી હતી. તેમણે માતાની 3D પિક્ચર પણ નિહાળી હતી. CM અને તેમના પત્નીએ રથ ખેંચી ભાદરવી પૂનમના મેળાની શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે જિલ્લાના વહીવટી તંત્ર સહિત ભાજપના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.