બનાસકાંઠાઃ કોરોના મહામારી ફરજ દરમિયાન પાલનપુર હોમગાર્ડઝ યુનિટના જવાનનું મૃત્યુ નિપજતાં મુખ્ય પ્રધાન રાહત ફંડમાંથી રૂપિયા 4 લાખની સહાયનો ચેક મૃતકના પરિવારને આપવામાં આવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુર હોમગાર્ડઝ યુનિટમાં કોરોના મહામારીમાં ફરજ દરમિયાન હોમગાર્ડઝ જવાન શૈલેષભાઈ શ્રીમાળીનું મોત નિપજતાં મુખ્યપ્રધાન રાહત ફંડમાંથી રૂપિયા 4 લાખની સહાય મંજૂર કરવામાં આવી હતી. જ્યારે છાપી યુનિટના મંગાભાઇ કે. રાવળના વારસદારને હોમગાર્ડઝ વેલફેર ફંડમાંથી રૂપિયા 77, 500/- સહાય મંજૂર કરવામાં આવી હતી.
પાલનપુર હોમગાર્ડઝ યુનિટના જવાનનું ફરજ દરમિયાન મૃત્યુ, પરિવારને 4 લાખની સહાય - CM Relief Fund
બનાસકાંઠા જિલ્લામાં કોરોના મહામારી ફરજ બજાવતા પાલનપુર હોમગાર્ડઝ યુનિટના જવાનનું ફરજ દરમિયાન મૃત્યુ થતા તેમના પરિવારને મુખ્ય પ્રધાન રાહત ફંડમાંથી રૂપિયા 4 લાખની સહાયનો ચેક આપવામાં આવ્યો હતો.
![પાલનપુર હોમગાર્ડઝ યુનિટના જવાનનું ફરજ દરમિયાન મૃત્યુ, પરિવારને 4 લાખની સહાય પાલનપુર હોમગાર્ડઝ યુનિટના જવાનનું ફરજ દરમિયાન મૃત્યુ, પરિવારને 4 લાખની સહાય](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-06:03:07:1594211587-gj-bns-05-sahay-apai-photo-stori-gj10014-08072020172724-0807f-1594209444-594.jpg)
પાલનપુર હોમગાર્ડઝ યુનિટના જવાનનું ફરજ દરમિયાન મૃત્યુ, પરિવારને 4 લાખની સહાય
જેથી મંગળવારે જિલ્લા કમાન્ડન્ટ રમેશભાઇ એમ. પંડયાના હસ્તે બન્ને મૃતક જવાનના પરિવારને સહાયના ચેક આપવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે જિલ્લા કચેરીના હેડ કલાર્ક જે.એન.પરમાર, સબ ઇન્સ્પેક્ટર એલ.એચ.વ્યાસ, સ્ટાફ ઓફીસર મનોજ ઉપાધ્યાય, પાલનપુરના ઓફીસર કમાન્ડીગ પ્રશાંત ગૌસ્વામી, છાપીના ઓફીસર કમાન્ડીગ એચ.જી.બ્રહ્મભટ્ટ સહિત હોમગાર્ડઝ પરિવારના સભ્યો હાજર રહ્યા હતા.