ગુજરાત

gujarat

By

Published : Nov 6, 2021, 5:54 PM IST

ETV Bharat / state

ડીસા તાલુકાના મૂડેઠા ગામે ભાઈબીજ પર્વ નિમિત્તે વર્ષોથી પરંપરાગટ અશ્વદોડ સ્પર્ધા યોજાઈ હતી

ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર પ્રેમના પર્વ એવા ભાઈ બીજના દિવસે બનાસકાંઠા જીલ્લાના મુડેઠા ગામમાં લગભગ સાડા સાતસો વર્ષથી અશ્વદોડ સ્પર્ધા (a traditional horse race ) યોજાય છે અને આ અશ્વદોડને નિહાળવા માટે દુર દુરથી હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડે છે.. આ પ્રસંગે દરબાર અને રાજપૂત સમાજના લોકો તેમની બહેન પ્રત્યેના પ્રેમને શૌર્યની ભાષામાં રજુ કરે છે.

ડીસા તાલુકાના મૂડેઠા ગામે ભાઈબીજ પર્વ નિમિત્તે વર્ષોથી પરંપરાગટ અશ્વદોડ સ્પર્ધા યોજાઈ હતી
ડીસા તાલુકાના મૂડેઠા ગામે ભાઈબીજ પર્વ નિમિત્તે વર્ષોથી પરંપરાગટ અશ્વદોડ સ્પર્ધા યોજાઈ હતી

  • ડીસા તાલુકાના મૂડેઠા ગામે અશ્વદોડ સ્પર્ધા યોજાઈ
  • 750 વર્ષથી ભાઈબીજના દિવસે રાઠોડ પરિવાર દ્વારા અશ્વદોડનું આયોજન
  • રાજવી પરિવારનો ઇતિહાસ

ડીસા: ભારતમાં ક્ષત્રીય દરબાર સમાજના લોકોનો ઈતિહાસ ખુબ જ ઉજળો જોવા મળે છે. પોતાની જીદ અને નીડરતા માટે જાણીતો દરબાર સમાજ આજે પણ પોતાની પરંપરાઓને જાળવી રાખવા માટે મશહૂર છે. વર્ષો અગાઉ રાજસ્થાનના ઝાલોરમાં વિરમસિંહ ચૌહાણ નામના રાજા થઇ ગયા. જે તે સમયે મોગલોના આક્રમણથી રજવાડાઓમાં ફૂટ પડવા લાગી હતી અને મોગલો તમામ રજવાડાઓ પર સામ્રાજ્ય જમાવવા માંડ્યા હતા. આ અરસામાં મોગલોએ જયારે ઝાલોરના રાજા વિરમસિંહ ચૌહાણ પર ચઢાઈ કરી, ત્યારે શક્તિશાળી મોગલોથી તેમની પુત્રી ચોથબાને બચાવવા માટે વિરમસિંહે ચોથબાને નાથ બાબજી નામના એક સંતને સોંપી દીધી હતી.

ડીસા તાલુકાના મૂડેઠા ગામે ભાઈબીજ પર્વ નિમિત્તે વર્ષોથી પરંપરાગટ અશ્વદોડ સ્પર્ધા યોજાઈ હતી

રાજવી પરિવાર સાથે થયા ચોથબાના લગ્ન

રાજાની આવી સુચના બાદ મોગલોની નજરથી ચોથબાને બચાવી આ સંત ચોરી છુપીથી રવાના થઇ જઈ ડીસા તાલુકાના પેપળુ ગામે આવી પહોંચ્યા હતા. પેપળુ પહોંચ્યા બાદ ચોથબા ઉંમર લાયક થતા તેમના લગ્ન પેપળુના રાજવી પરિવારના દેવીસિંહ વાઘેલા સાથે નક્કી કરવામાં આવ્યા હતા. પરંતુ રાજસ્થાનથી લાવેલા ચોથબાને કોઈ ભાઈ ન હોવાથી રાજપૂત કુળની દીકરીનું કન્યાદાન રાજપૂત ભાઈઓ દ્વારા જ કરવામાં આવે તેવી માન્યતાને લઇ પેપળુ ગામની નજીકમાં જ આવેલા મુડેઠા ગામના રાઠોડ પરિવારના ભાઈઓ આગળ આવ્યા હતા. અને ચોથબાના ભાઈ બનીને કન્યાદાન કર્યું હતું. ચોથબાને ધર્મની સાક્ષીએ બહેન માની તેમના લગ્ન કરાવ્યા બાદ મુડેઠાના રાઠોડ પરિવારના ભાઈઓ દર વર્ષે બેસતા વર્ષના દિવસે ચોથબા માટે મુડેઠાથી ચુંદડી લઇ પેપળુ જતા અને ત્યાં રાત રોકી ભાઈ-બીજના દિવસે પરત ફરતા. તે સમયે મોગલોના આતંકથી બચવા માટે મુડેઠાના રાઠોડ પરિવારના ભાઈઓ બખ્તર ધારણ કરીને જતા હતા.. જે બખ્તર આજે પણ હયાત છે.

ડીસા તાલુકાના મૂડેઠા ગામે ભાઈબીજ પર્વ નિમિત્તે વર્ષોથી પરંપરાગટ અશ્વદોડ સ્પર્ધા યોજાઈ હતી

750 વર્ષથી ભાઈઓએ પરંપરા જાળવી રખી

આ પરંપરાને પણ રાઠોડ ભાઈઓએ સાડા સાતસો વર્ષથી જાળવી રાખી છે. પોતાની પરંપરા સાચવવા માટે મશહૂર રાઠોડ પરિવારના સભ્યો આજે પણ મુડેઠા ગામેથી બેસતા વર્ષના દિવસે ચુંદડી લઇ ચોથબાને ઓઢાડવા જાય છે અને ભાઈ બીજના દિવસે પરત મુડેઠા આવીને ઉત્સાહમાં પટ્ટા ખેલીને હ્ડીલા ગાય છે. અને ત્યારબાદ અશ્વદોડ (a traditional horse race )નું આયોજન કરે છે.. લગભગ ૧૦૦થી વધુ અશ્વો આ અશ્વદોડમાં ભાગ લે છે. મુડેઠા ગામમાં છેલ્લા સાડા સાતસો વર્ષથી યોજાતી આ અશ્વદોડમાં પાણીદાર અશ્વોની રફતારને નિહાળવા માટે દુર દુરથી હજારોની સંખ્યામાં જન મેદની ઉમટી પડે છે.

ડીસા તાલુકાના મૂડેઠા ગામે ભાઈબીજ પર્વ નિમિત્તે વર્ષોથી પરંપરાગટ અશ્વદોડ સ્પર્ધા યોજાઈ હતી

આજની યુવા પેઢીએ પણ પરંપરા જાળવી રાખી

આજના યુવા વર્ગમાં પણ આ પરંપરા સાચવી રાખવાનો ઉત્સાહ એટલો જ જોવા મળી રહ્યો છે જે અગાઉની પેઢીઓમાં જોવા મળતો હતો. દર વર્ષે ભાઈ-બીજના દિવસે યોજાતી આ અશ્વદોડનો ઈતિહાસ સાડા સાતસો વર્ષ જુનો છે અને દર વર્ષે ભાઈ બીજના દિવસે બહેનને પાડોશના ગામ પેપળુ ચુંદડી આપવા માટે રાઠોડ પરિવારના જે સભ્યો જાય છે, તે અલગ અલગ પાટી એટલે કુળના હોય છે.. જેમાં ખેતાણી, ભાલાણી, રાજાણી અને દુધાણી કુળના રાઠોડો જતા હોય છે..

ડીસા તાલુકાના મૂડેઠા ગામે ભાઈબીજ પર્વ નિમિત્તે વર્ષોથી પરંપરાગટ અશ્વદોડ સ્પર્ધા યોજાઈ હતી

સાડા સાતસો વર્ષ જુનું બખ્તર

ડીસા તાલુકાના મુડેઠા ગામમાં દર વર્ષે ભાઈ બીજના દિવસે યોજાતી અશ્વદોડને નિહાળવા માટે માત્ર આસપાસના ગામના લોકો જ નહિ પરંતુ અમદાવાદ સુધીના લોકો પણ ઉમટી પડે છે અને નાનકડા મુડેઠા ગામમાં માનવ કીડીયારું ઉભરાયું હોય તે માહોલ જોવા મળે છે.. મુડેઠા ગામના લોકોનું કહેવું છે કે હાલ રાઠોડ પરિવારના સભ્યો જે બખ્તર ધારણ કરે છે તે બખ્તર પણ સાડા સાતસો વર્ષ જુનું છે. અને આજે પણ રાઠોડ કુળમાં આ બખ્તર ધારણ કરનારને ખુબ જ માનથી નવાજવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details