- બનાસકાંઠાના નવા 1250 નવનિયુક્ત શિક્ષકોને મળ્યા નિમણૂકપત્ર
- સાંસદ પરબત પટેલે તમામ શિક્ષકોને નિમણૂકપત્ર એનાયત કર્યા
- સાંસદ પરબત પટેલે શિક્ષકોને જવાબદારી પ્રત્યે અવગત કરાવ્યા બનાસકાંઠામાં નવનિયુક્ત 189 શિક્ષકોને મળ્યા નિમણૂકપત્ર
બનાસકાંઠાઃ શિક્ષક કભી સાધારણ નહીં હોતા, શિક્ષકની જવાબદારી આવતીકાલનું ભવિષ્ય બનાવવાની છે. આથી સરકાર દ્વારા શિક્ષણ વિભાગમાં શિક્ષકોની ઘટ ઓછી કરવા માટે રાજ્યભરમાં 1250 જેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. આ તમામ શિક્ષકોને ગુરુવારને નિમણૂકપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ અંગેનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ભાવનગરથી કરાયો હતો. ગુરુવારનો દિવસ નવનિયુક્ત શિક્ષકો માટે સારા સમાચાર લઈને આવ્યો હતો.