- બનાસકાંઠા જિલ્લામાં વધતા જતા કોરોના દર્દીઓને લઇ ઓક્સિજનની અછત
- જિલ્લામાં ઓક્સિજનની અછત વચ્ચે યુવાનોની અનોખી સેવા
- ડીસામાં કોરોના વાઇરસની મહામારીમાં સેવા કરતા યુવકોની સેવાને રાજકારણ ગણાવતા આરોગ્ય અધિકારી
બનાસકાંઠાઃ જિલ્લામાં કોરોના દર્દીઓને લઈ દિવસેને દિવસે પરિસ્થિતિ બેકાબૂ બનતી જાય છે. બનાસકાંઠા જિલ્લા લોકોના વધેલા સંક્રમણના કારણે ત્યાં સુધી હજારોની સંખ્યામાં કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યા છે. ખાસ કરીને સૌથી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ ડીસા અને પાલનપુરમાં આવતા આ બન્ને તાલુકાઓને હાલ હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. સતત વધતા જતા કોરોના દર્દીઓના કારણે હાલમાં બનાસકાંઠા જિલ્લાની તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલ કોરોના દર્દીઓથી ઊભરાઈ રહી છે. જેના કારણે સતત ઓક્સિજન અને ઇન્જેક્શનની અછત વર્તાઈ રહી છે. વારંવાર ઓક્સિજન અને ઇન્જેક્શનની અછત સર્જાતા અત્યાર સુધી અનેક કોરોના દર્દીઓના મોત પણ નિપજ્યાં છે.
આ પણ વાંચોઃરાજકારણ ભૂલીને કોરોના મહામારીમાં માનવ સેવા કરતા મહિલા...
ઓક્સિજનની અછત વચ્ચે યુવાનોની સેવા
જે પ્રમાણે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થતો જાય છે, તેને લઈ હાલમાં બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં કોરોના દર્દીઓથી હોસ્પિટલો ઊભરાઈ રહી છે. આવા સમયે હોસ્પિટલોમાં કોરોના દર્દીઓને સારવાર આપવા માટે જગ્યા ખાલી ન હોવાથી અત્યાર સુધી અનેક કોરોના દર્દીઓ સારવાર વગર રજળ્યા છે. વધતા જતા કોરોના દર્દીઓના કારણે હાલમાં હોસ્પિટલોમાં સૌથી વધુ અછત ઓક્સિજન અને ઇન્જેક્શનની સામે આવી રહી છે, ત્યારે આવા સમયે બનાસકાંઠા જિલ્લાના યુવાનો ઓક્સિજનની સેવા પૂરી પાડી રહ્યા છે. ડીસા ખાતે કાર્યરત સરકારી હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી વારંવાર ઓક્સિજનની અછત સર્જાતી હતી. જેના કારણે આ સરકારી હોસ્પિટલમાં અનેક વ્યક્તિઓના મોત નિપજ્યાં છે, જ્યારે સરકારી હોસ્પિટલમાં દર્દીઓના મોત ન થાય તે માટે ડીસાના યુવાનો દ્વારા ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે. 2 દિવસ અગાઉ ડીસાના એક યુવા બિલ્ડર દ્વારા ઓક્સિજનની 52 બોટલ ડીસા સરકારી હોસ્પિટલમાં આપવામાં આવી હતી. જે બાદ ગઈકાલે રવિવારે પણ આ યુવા બિલ્ડર દ્વારા ડીસાની સરકારી હોસ્પિટલ અને જી.જી.માળી વિદ્યા સંકૂલ ખાતે વિનામૂલ્યે ઓક્સિજન મશીન આપવામાં આવ્યું હતું. જેના કારણે વારંવાર ઓક્સિજનની જે અછત સર્જાય એ અંગે સરકારી હોસ્પિટલમાં કોરોના દર્દીઓને સારવાર આપતા ડૉ.ભીખા આકેડીવાલાએ મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, વારંવાર ઓક્સિજનની અછત સરકારી હોસ્પિટલમાં સર્જાતી હતી, ત્યારે આ ઓક્સિજનની અછતના કારણે વારંવાર કોરોના દર્દીઓને ભારે હાલાકી પડતી હતી. આવા સમયે આ ઓક્સિજનના મશીન આવતાની સાથે હવે કોરોના દર્દીઓને સમયસર ઓક્સિજન મળી રહેશે.