ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટીલની બનાસકાંઠા મુલાકાત પર વિરોધના વાદળ, પાણી મુદ્દે ખેડૂતો લાલઘૂમ - C.R.Patil

બનાસકાંઠા જિલ્લામાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવવાના હતા. આ પહેલાં જ ખેડૂતોએ વિરોધ શરૂ કર્યો છે. સી.આર. પાટીલ આવવાના હોવાથી નર્મદાનું પાણી દાંતીવાડા ડેમમાં છોડવામાં આવ્યું હોવાની માહિતી મળતા જ દિયોદરના ખેડૂતોએ સરકાર સામે વિરોધ દર્શાવ્યો છે.

બનાસકાંઠાઃ  સી.આર.પાટીલ આવવાના હોવાથી નર્મદાનું પાણી દાંતીવાડા ડેમમાં છોડવામાં આવ્યું, ખેડૂતોનો સરકાર સામે વિરોધ
બનાસકાંઠાઃ સી.આર.પાટીલ આવવાના હોવાથી નર્મદાનું પાણી દાંતીવાડા ડેમમાં છોડવામાં આવ્યું, ખેડૂતોનો સરકાર સામે વિરોધ

By

Published : Aug 30, 2020, 10:49 AM IST

Updated : Aug 30, 2020, 10:56 AM IST

બનાસકાંઠાઃ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવવાના હતા. આ પહેલાં જ ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. નર્મદા ડેમમાંથી પાઇપલાઇન દ્વારા પાણી દાંતીવાડા ડેમમાં છોડવામાં આવી રહ્યું છે. જો કે, આ પાણી સી.આર. પાટીલ આવવાના હોવાથી છોડવામાં આવતું હોવાની માહિતી મળતા જ ખેડૂતોએ સરકાર સામે વિરોધ દર્શાવ્યો છે. હકીકતમાં બનાસકાંઠામાં ચાંગાથી દાંતીવાડા ડેમ સુધી પાઇપલાઇન નાખવામાં આવી છે. જે પાઇપલાઇન દ્વારા અત્યારે નર્મદાના નીરથી દાંતીવાડા ડેમમાં પાણી નાખવામાં આવે છે.

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ બનાસકાંઠાની મુલાકાતે આવે તે પહેલાં ખેડૂતોનો વિરોધ

પૂર્વે દિયોદર તાલુકાના ખેડૂતોએ પાણીની વિકટ સમસ્યાના કારણે સરકાર પાસે પાઇપલાઇન દ્વારા પાણી આપવાની વાત કરી હતી, પરંતુ સરકારે ખેડૂતોની આ માંગણી પર ધ્યાન આપ્યું જ ન હતું હવે જ્યારે સી.આર. પાટીલ આપવાના હતા. જેના બે દિવસ પહેલા જ દાંતીવાડા ડેમમાં પાણી છોડવામાં આવી રહ્યું હોવાની માહિતી મળતા જ જિલ્લાના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો હતો.

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ બનાસકાંઠાની મુલાકાતે આવે તે પહેલાં ખેડૂતોનો વિરોધ

ખેડૂતોનું માનીએ તો આ પાણી માત્રને માત્ર ભાજપના નેતા આવવાના હોવાથી રાજકીય લાભ જોઈતો હોય કે, ખેડૂતોને ખુશ કરવા હોય તોજ છોડવામાં આવે છે. જેથી તેઓ વિરોધ દર્શાવી રહ્યાં છે અને સી. આર. પાટીલના ગયા બાદ પણ જો પાણી ચાલુ નહીં રાખવામાં આવે તો જિલ્લાના ખેડૂતો સરકાર સામે ઉગ્ર આંદોલન કરશે. તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

અત્યારે તો સી. આર. પાટીલ આવે તે પહેલાં જ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પાણી મુદ્દે સરકાર સામે લાલઘૂમ થયા છે અને જો આગામી સમયમાં પાણી આ જ રીતે ચાલુ રાખવામાં નહીં આવે તો સરકારે ખેડૂતોના ઉગ્ર આંદોલનનો સામનો કરવો પડે તો નવાઈ નહીં.

Last Updated : Aug 30, 2020, 10:56 AM IST

ABOUT THE AUTHOR

...view details