ગુજરાત

gujarat

By

Published : Jul 15, 2019, 11:48 PM IST

ETV Bharat / state

ચંદ્ર ગ્રહણના કારણે અંબાજી મંદિરના દર્શન અને આરતીમાં ફેરફાર

અંબાજીઃ મંગળવારની રાત્રીએ ચંદ્રગ્રહણ હોવાથી ધાર્મિક વિધિ અને પુજા-અર્ચના ઉપર ગ્રહણનું વેધ લાગતો હોય છે. જેને લઈને 16 જુલાઈએ અષાઢ સુદ પુનમની રાત્રીના 2:30 થી 4:00 સુધી ચંદ્રગ્રહણને લઈ યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરનાં દર્શન આરતીનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ambaji

અંબાજી મંદિરમાં મંગળવારે ચંદ્રગ્રહણ હોવાથી મંદિરના દર્શનાર્થીઓ માટે સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મંગળવારે સવારે 07:30 કલાકે થતી મંગળા આરતી ગ્રહણનાં દિવસે સવારે 06.00 કલાકે કરાશે. જ્યારે બપોરે ધરાવાતો રાજભોગ પણ સવારે 12.30 કલાકે ધરાવાશે અને ત્યાર બાદ સાંજની 7ઃ00 વાગ્યાની આરતી બપોરે 3:30 થી 4:00 કલાકે સ થશે. અંબાજી મંદિરના દર્શન સાંજના 4:30 કલાક સુધી ખુલ્લા રહેશે અને ત્યાર બાદ મંદિર બંધ રહેશે. ત્યાર બાદ બીજા દિવસે સવારની આરતી 09:00 કલાકે કરવામાં આવશે. જ્યાર બાદ અંબાજીના દર્શન અને આરતી રાબેતા મુજબ કરાશે.

ચંદ્ર ગ્રહનના કારણે અંબાજી મંદિરના દર્શન અને આરતીમાં ફેરફાર કરવામાં આવ્યો

અંબાજી મંદિર ચંદ્ર ગ્રહણના કારણે બદલાયેલો સમય આ પ્રમાણે રહેશે

સવારે આરતી 06:00 થી 06:30
સવારે દર્શન 06:30 થી 11:30
બપોરે દર્શન 12:30 થી 02:00
સાંજની આરતી 03:30 થી 04:00

સાંજના દર્શન 4:00 થી 4:30 અને ત્યાર બાદ મંદિર સતદંર બંધ રહેશે. અંબાજી મંદિરના દર્શન અને આરતી બીજા દિવસે સવારની આરતી 09:00 કલાકે કરવામાં આવશે અને ત્યાર બાદ રાબેતા મુંબજ દર્શન અને આરતી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details