બનાસકાંઠાઃ જિલ્લામાં શનિવારના રોજ કોરોના સંક્રમિત વધુ એક દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે. તે સાથે જ જિલ્લામાં કોરોનાથી મૃત્યું પામનારા લોકોનો આંક 18 પર પહોંચ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસની સ્થિતિ યથાવત, 1ના મોત સાથે કુલ મૃત્યુઆંક 18 થયો - Gujarat Corona News
સમગ્ર દેશમાં કોરોનાનો કહેર યથાવત છે દિવસેને દિવસે કેસમાં વધારો જોવા મળી રહ્યો છે અને મૃત્યુ આંક પણ વધી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં વધુ 1 કોરોના ગ્રસ્ત દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. જેને લઇ કુલ મૃત્યુ આંક 18 પર પહોંચ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસની સ્થિતિ યથાવત, 1ના મોત સાથે કુલ મૃત્યુ આંક 18 પર પહોંચ્યો
ડીસામાં રહેતી આ મહિલાનો 3 દિવસ પહેલા જ કોરોના પોઝિટિવનો રિપોર્ટ આવતા તેને પાલનપુરની કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું શનિવારના રોજ મોત થયું હતુ. તે સાથે જિલ્લામાં અત્યાર સુધી પોઝિટિવ કુલ 18 લોકોના મોત થયા છે. બનાસકાંઠા જિલ્લામાં રોજરોજ વધતા જતા કેસ અને મોતના કારણે હવે લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે.