- જિલ્લા કોર કમિટીની બેઠકમાં કલેકટરે કોરોના રોકવા કર્યો અગત્યનો નિર્ણય
- એક અઠવાડિયા સુધી દરરોજ જાહેરમાર્ગો પર કરાશે કોરોના ટેસ્ટ
- ભરચક વિસ્તારોમાં કોરોના વેક્સિન આપવાની કામગીરી પણ હાથ ધરાશે
બનાસકાંઠા:જિલ્લામાં છેલ્લાં 20 દિવસોથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે કોરોનાના સંક્રમણને ફેલાતું અટકાવવા જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. જિલ્લા કલેકટર દ્વારા દરરોજ જિલ્લાની કોર ટિમ સાથે બેઠક કરી કોવિડ વેકસીન તેમજ કોવિડ ગાઈડલાઈન અંગે ચર્ચા વિચારણા તેમજ ડેઇલી કામગીરીના અમલીકરણ અંગે ચર્ચા વિચારણા કરાય છે. હાલમાં જિલ્લામાં 45 વર્ષથી વધુની ઉંમર ધરાવતાં તમામ નાગરિકોને કોરાના વેક્સિન આપવાનું કાર્ય પણ પુરજોશમાં ચાલી રહ્યું છે.
કલેક્ટરે મીડિયાને આપી માહિતી
જિલ્લાની કોર ટીમ સાથે થયેલી બેઠકમાં આજે એક અત્યંત મહત્વનો નિર્ણય લેતાં જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, જિલ્લાના પ્રત્યેક શહેરોમાં જ્યાં APMC, રીક્ષા સ્ટેન્ડ, શાકમાર્કેટ, મેડિકલ સ્ટોર્સ વગેરે સ્થળો પર સળંગ એક અઠવાડિયા સુધી લોકોના સ્થળ પર જ કોરોના ટેસ્ટ કરાશે, તેમજ માસ્ક અપાશે અને વેક્સિન પણ તે જ સ્થળ પર આપવાની કામગીરી હાથ ધરાશે. આ કામગીરી સોમવારથી એક અઠવાડિયા સુધી ચાલશે તેમ જિલ્લા કલેકટરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. તેમજ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જે લોકો કન્ટેન્ટમેન્ટ ઝોનનું પાલન નથી કરતાં તેમની સામે FIR સુધીની કાર્યવાહી કરવા પણ અધિકારીઓને આદેશ અપાયા હોવાનું કલેકટરે જણાવ્યું હતું.
આ પણ વાંચો:ભાવનગરમાંથી બહાર જવાં ઈચ્છતા લોકો માટે ખાસ RTPCR ટેસ્ટની વ્યવસ્થા કરાઈ
હોમ આઇશોલેશનનો ભંગ કરનારની સામે થશે FIR-જિલ્લા કલેક્ટર