ગુજરાત

gujarat

ETV Bharat / state

અંબાજીમાં કોરોના ટેસ્ટિંગ માટે સેન્ટર શરૂ કરાયું - corona testing centre in Ambaji

અંબાજી પંથકમાં કોરોના રોજ વકરી રહ્યો છે. અંબાજીના લોકોને કોરોના ટેસ્ટ કરાવવા માટે 15થી 20 કિલોમીટર દૂર જવું પડતું હતું. જોકે, વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં રાખીને અંબાજી ગ્રામ પંચાયતના શોપિંગ સેન્ટર ખાતે જ કોરોના ટેસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

અંબાજીમાં કોરોના ટેસ્ટિંગ માટે સેન્ટર શરૂ કરાયું
અંબાજીમાં કોરોના ટેસ્ટિંગ માટે સેન્ટર શરૂ કરાયું

By

Published : Apr 21, 2021, 7:14 PM IST

  • RT-PCRનું ટેસ્ટિંગ સવારે 9થી 12 વાગ્યા સુધી
  • રેપિડ ટેસ્ટ સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી
  • હાલમાં રોજના 90થી 100 ટેસ્ટ કરાય છે

અંબાજી: સરકારે કોરોના ટેસ્ટિંગ વધારવા ઉપર મૂકેલા ભારને લઈને આરોગ્ય તંત્રએ અંબાજી તેમજ આસપાસના લોકો ઘર આંગણે જ કોરોના ટેસ્ટ કરી શકે તે માટે સુવિધા ઉભી કરી છે. RT-PCR તેમજ રેપિડ એન્ટિજન કીટ દ્વારા અંબાજી ગ્રામપંચાયતના શોપિંગ સેન્ટર ખાતે કોરોના ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે

અંબાજીમાં કોરોના ટેસ્ટિંગ માટે સેન્ટર શરૂ કરાયું

રોજ કરાતા ટેસ્ટ પૈકી 10થી 15 ટકા પોઝિટિવ

તંત્ર દ્વારા RT-PCRનું ટેસ્ટિંગ સવારે 9થી 12 વાગ્યા સુધી તેમજ રેપિડ એન્ટિજન કીટ દ્વારા સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી ટેસ્ટ કરવામાં આવે છે. હાલમાં રોજ 90થી 100 જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાંથી 10થી 15 કેસ પોઝિટિવ આવી રહ્યા છે. રોજ આ પ્રકારે કેસ નોંધાતા હાલ પંથકમાં કોરોનાના 100 જેટલા પોઝિટિવ કેસ હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત અંબાજીમાં વેપારીઓ દ્વારા કરાયેલા સ્વૈચ્છિક લોકડાઉનને પણ આરોગ્ય વિભાગ આવકારી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details