શ્યામાપ્રસાદ મૂખર્જીની જન્મ જયંતિ નિમિત્તે ભાજપનું સદસ્યતા અભિયાન શરૂ
બનાસકાંઠાઃ ભારતીય જનતા પાર્ટી દ્વારા શનિવારથી સદસ્યતા વૃદ્ધિ અભિયાનનો પ્રારંભ કરાયો છે. આજે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે આ અભિયાનનો શુભાંરમ કરાયો છે.
gd
બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતેથી પ્રાથમિક સદસ્ય બનવાની ઝુંબેશ હાથ ધરાઈ હતી. જેને રાજ્યના વેર હાઉસના ચેરમેન દ્વારા શ્યામાપ્રસાદ મુખર્જીની તસ્વીર આગળ દીપ પ્રગટાવી પુષ્પાંજલિ આપી આ અભિયાનનો આરંભ કરાવ્યો હતો. જેની નોંધણી પુનઃ 3 વર્ષે કરવામાં આવતી હોય છે.