ગુજરાત

gujarat

ETV Bharat / state

ખોટી ફરિયાદ રદ્દ કરવા ગ્રામજનોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું - Gujarat

થરાદ: બનાસકાંઠાના થરાદ તાલુકામાં આવેલા જાણદી ગામમાં એક દલિત પરિવારને સામાજિક બહિષ્કાર કરવા મામલે 17 લોકો સામે ફરિયાદ નોંધાઇ હતી. જો કે આ ફરિયાદ ખોટી હોવાની રજૂઆત સાથે ગ્રામજનોએ થરાદ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

થરાદ માં ખોટી ફરિયાદ રદ કરવા જાણદીના ગ્રામજનોએ નાયબ કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું

By

Published : Aug 2, 2019, 5:07 AM IST

બનાસકાંઠાના થરાદના તાલુકાના જાણદી ગામમાં કરસન રાઠોડના પરિવાર વિરુદ્ધ જાતિ અપમાનીત શબ્દો બોલી તેમજ તેમનો સામાજિક બહિષ્કાર કરવા મામલે ગામના 17 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી.જો કે આ મામલે ગામજનોએ નાયબ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરતા ગ્રામજનોએ જણાવ્યું કે, આ ફરિયાદ ખોટી છે.આ અગાઉ ગામના એક આગેવાની સગીર દીકરીને કરસન રાઠોડનો પુત્ર અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે મામલે ફરિયાદી ફરિયાદ નોંધાઈ હતી .ત્યારે આ અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ પાછી ખેંચવા માટે સગીરાના પિતા અને સાક્ષી પંચોને વારંવાર ધમકાવવામાં આવતા હતા. આ સાથે જ ફરિયાદ પાછી ખેંચવા માટે તેમને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ કરસન રાઠોડે આ તમામ સાક્ષી પંચો સામે એટ્રોસિટીની ખોટી ફરિયાદ કરી હેરાન કરી રહ્યો છે. જેથી તેમની ફરિયાદ પાછી ખેંચવા તમામ ગ્રામજનોએ નાયબ કલેકટર સમક્ષ રજૂઆત કરી હતી.

થરાદ માં ખોટી ફરિયાદ રદ કરવા જાણદીના ગ્રામજનોએ નાયબ કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું

ABOUT THE AUTHOR

...view details