અંબાજીશક્તિપીઠ અંબાજી મંદિરે ભરાતા સૌથી મોટા લોકમેળા ભાદરવી પૂનમના મેળાનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે. કલેક્ટર આનંદ પટેલે ( Banaskantha Collector Anand Patel )આ પ્રસંગે જણાવ્યું કે અંબાજી આવતા માઇભક્તોને આવકારવા બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ થનગની રહ્યું છે. આ સાથે ઇતિહાસમાં પ્રથમવાર ( First time in history ) આ મેળાને આદિવાસી દીકરીઓના હસ્તે ( Ambaji Bhadravi Fair inaugurated by tribal ) શરુ કરવામાં આવ્યો હોવાની જાણકારી પણ આપવામાં આવી હતી. દીકરીઓમાં પણ માનું હ્રદય હોય છે. આદિજાતિ બાહુલ્ય ધરાવતા અને વર્ષોથી માતાજીની પૂજાઅર્ચના કરતા આદિવાસી દીકરીઓના હસ્તે આ વર્ષે ભાદરવી પૂનમનો મહામેળાનો આનંદ, ઉત્સાહ અને ભક્તિમય માહોલમાં ભવ્ય શુભારંભ થયો છે.
ઇતિહાસમાં પ્રથમ વખતઆદિવાસી દીકરીઓના હસ્તે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ કમ બનાસકાંઠા કલેકટર આનંદ પટેલની ઉપસ્થિતિમાં અંબાજી ભાદરવી પૂનમના મહામેળાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. વિશ્વ પ્રસિદ્વ યાત્રાધામ અંબાજી ખાતે તા. 5થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાઇ રહેલા ભાદરવી પૂનમના મહામેળાનો અંબાજી ખાતે દાંતા રોડ ઉપર વેંકટેશ માર્બલ નજીક આદિવાસી દિકરીઓના હસ્તે માતાજીના રથની શાસ્ત્રોક્ત રીતે અને ભક્તિભાવથી પૂજાઅર્ચના કરીને કલેક્ટર સહિત મહાનુભાવોએ રથને થોડેક સુધી દોરીને મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. આ સમયે ઉપસ્થિત પદયાત્રિકોએ માતાજીના ગગનચૂંબી જયઘોષ કર્યા હતાં.
પ્રદર્શનને રસપૂર્વક નિહાળ્યું મેળાના પ્રારંભ બાદ પ્રદર્શન ડોમમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, માહિતી ખાતું અને આરોગ્ય વિભાગ દ્વારા બનાવાયેલ અદ્યતન પ્રદર્શનનું કલેકટરના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતુ અને કલેકટર આનંદ પટેલે આ પ્રદર્શનને રસપૂર્વક નિહાળ્યું પણ હતું. તેમણે માતાજીની પૂજાઅર્ચના કરી મેળાની સંપૂર્ણ સફળતા માટે અને લાખો માઇભક્તોની અંબાજીની યાત્રા સુખરૂપ સંપન્ન થાય તે માટે માતાજીને પ્રાર્થના કરી હતી.
કલેકટર દ્વારા માહિતી આપવામાં આવી હતી દૂર દૂરથી પદયાત્રા કરીને અંબાજી આવતા માતાજીના ભક્તોને આવકારવા બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ થનગની રહ્યું છે. તેમણે કહ્યું કે, બે વર્ષના લાંબા વિરામ બાદ ભાદરવી પૂનમનો મેળો યોજાઇ રહ્યો છે ત્યારે 30 લાખ કરતા વધુ સંખ્યામાં દર્શનાર્થીઓ આવવાની ધારણાને લઇને તંત્ર દ્વારા વ્યાપક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.