ડીસાના માણેકપુરામાં અલ્પેશ ઠાકોરના હસ્તે ગ્રામ સચિવાલયનું ઉદ્ધાટન - રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર
ડીસાઃ સમગ્ર રાજ્યમાં કેન્દ્ર સરકાર દ્વારા દેશના હિતને લગતા વિવિધ કાર્યો કરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર રાજ્યમાં પ્રગતિ થાય તેવા મહત્વલક્ષી કામો કરી રહી છે, ત્યારે ડીસાના માણેકપુરા ગામે શનિવારે ગ્રામ સચિવાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સચિવાલયનું ઉદ્ધાટન પાટણના સાંસદ ભરતસિંહ ડાભી અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

અલ્પેશ ઠાકોરના હસ્તે માણેકપુરા ગ્રામ સચિવાલયનું ઉદ્ધાટન
ગ્રામ સચિવાલયના શુભારંભ કાર્યક્રમમાં પાણના સાંસદ ભરતસિંહ ડાભી, ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર અને કાંકરેજના ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા હાજર રહ્યા હતા. તે ઉપરાંત આ મહાનુભાવો દ્વારા ગ્રામ સચિવાલયમાં વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ બચાવવા માટેની અપિલ કરી હતી. 14.50 લાખના ખર્ચે તૈયાર થયેલી ગ્રામ સચિવાલયની શરૂઆત થતાં હવે ગામના લોકોના પ્રશ્નોનું જલ્દીથી નિરાકરણ આવશે તેમજ સત્તાધીશો પણ ગામની સમસ્યાઓને હલ કરવામાં પૂરેપૂરું યોગદાન આપશે તેમ પાટણના સાંસદે જણાવ્યું હતું.
અલ્પેશ ઠાકોરના હસ્તે માણેકપુરા ગ્રામ સચિવાલયનું ઉદ્ધાટન