ગુજરાત

gujarat

ETV Bharat / state

વાવના અરજણપુરા ગામે ખેત મજૂરના ઘરમાં ગેસ સિલેન્ડર લીક થતા આગ ભભૂકી, ઘરવખરી બળીને ખાખ - નળી લીક

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવેલ અરજણપુરા ગામે રહેતા એક ખેત મજૂરના ઘરમાં ગેસ સિલેન્ડરની નળી લીક થતા આગ ભભૂકી ઉઠી હતી. આ આગમાં ઘરવખરી બળીને ખાખ થઈ જતા ખેડૂતને મોટું નુકસાન થયું છે.

વાવ તાલુકાના અરજણપુરા ગામે ખેત મજૂરના ઘરમાં ગેસ સિલેન્ડર લીક થતા આગ ભભૂકી, ઘરવખરી બળીને ખાખ
વાવ તાલુકાના અરજણપુરા ગામે ખેત મજૂરના ઘરમાં ગેસ સિલેન્ડર લીક થતા આગ ભભૂકી, ઘરવખરી બળીને ખાખ

By

Published : Jul 15, 2020, 7:41 PM IST

બનાસકાંઠાઃ જિલ્લાના વાવ તાલુકાના અરજણપુરા ગામની સીમમાં વસવાટ કરતા પીરાભાઈ નાઈ પોતાના ખેતરમાં છાપરું બનાવીને રહે છે. પીરાભાઇ ઉજ્વલા યોજનાના લાભાર્થી છે, તેઓને સરકારી સહાયથી ગેસ સિલેન્ડર મળ્યું હતું, જે સિલિન્ડરથી બુધવારે બપોરના સમયે ચા બનાવવાના સમયે ગેસ સિલિન્ડરની નળી લિકીજ થતા આગ ભભૂકી હતી.

વાવના અરજણપુરા ગામે ખેત મજૂરના ઘરમાં ગેસ સિલેન્ડર લીક થતા આગ ભભૂકી, ઘરવખરી બળીને ખાખ

આગ બુજાવવાની કોશિશ કરી હતી, પરંતુ જોત-જોતામાં આ આગે આગે વિકરાળ રૂપ ધારણ કરતા સમગ્ર ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી. ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા આ ખેડૂતનું ઘર બળી જતા અંદાજે અઢી લાખનું નુકશાન થયું છે અને અચાનક આગની ઘટનાથી આ પરિવાર નિરાધાર થઈ ગયો છે. ત્યારે સરકાર સહાય આપે એવી બેસહાય પરિવારની વિનંતિ છે.

ABOUT THE AUTHOR

...view details