ગુજરાત

gujarat

By

Published : Jun 25, 2020, 7:13 PM IST

ETV Bharat / state

બનાસકાંઠાઃ સુથાર નેસડી ગામની કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડ્યું

બનાસકાંઠા જિલ્લામાં નાખવામાં આવેલી નર્મદા કેનાલમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત છે. ગુરુવારે ભાભર પાસે સુથાર નેસડીની માઇનોર કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડ્યુ હોવાનું સામે આવ્યુ છે. જો કે, કેનાલનું પાણી પડતર જમીનમાં વેડફાતાં ખેડૂતોના પાકને કોઇ નુકસાન પહોંચ્યુ નથી.

ETV BHARAT
બનાસકાંઠાઃ સુથાર નેસડી ગામની કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડ્યું

બનાસકાંઠાઃ જિલ્લાના સુથાર નેખડીમાં પસાર થઇ રહેલી કેનાલમાં ગુરુવારે ગાબડું પડ્યું છે. જેથી લોકો આક્ષેપો કરી રહ્યા છે કે, સરકાર દ્રારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ જંગલ સફાઇ-કટિંગ કરવા માટે ફાળવવામાં આવતી હોવા છતાં, અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી. જેના કારણે અવાર-નવાર કેનાલમાં ગાબડાં પડે છે.

સુથાર નેસડી ગામની કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડ્યું

જિલ્લામાં છાસવારે કેનાલોમાં પડતાં ગાબડાંને લઇ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ અધિકારીઓ આ અંગે કોઈ પ્રકારનો જવાબ આપતા નથી. જેથી જિલ્લાના ખેડૂતો પણ કંટાળ્યા છે.

કેનાલમાં 20 ફૂટનું ગાબડું

ગુરુવારે સુથાર નેસડીની માઇનોર કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડતાં મોટી પ્રમાણમાં પાણીનો બગાડ થયો હતો. અવાર-નવાર કેનાલોમાં પડતા ગાબડાંના કારણે જગતના તાતની મુશ્કેલીમાં વધારો થયો છે.

ઉલ્લેખનીય છે કે, 2 દિવસ અગાઉ સુઇગામ પાસે દુધવા માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details