ગુજરાત

gujarat

By

Published : Dec 15, 2020, 10:22 AM IST

ETV Bharat / state

બનાસકાંઠામાં વાવ તાલુકાના રાછેણા માઈનોર-2માં ગાબડું પડતા 6 એકર જમીન બેટમાં ફેરવાઈ

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં શિયાળુ સિઝન ચાલુ થતા જ કેનાલો તૂટવાનો સિલસિલો ચાલુ થઈ જાય છે. જ્યારે વાવ તાલુકાના રાછેણા ગામની સીમમાં રાછેણા માઈનોર બેમાં દસ ફૂટનું ગાબડું પડતા ખેતર બેટમાં ફેરવાયા હતા. રાછેણા માઈનોર બેમાં દસ ફૂટનું ગાબડું પડ્યું હતું.

બનાસકાંઠામાં વાવ તાલુકાના રાછેણા માઈનોર-2માં ગાબડું પડતા 6 એકર જમીન બેટમાં ફેરવાઈ
બનાસકાંઠામાં વાવ તાલુકાના રાછેણા માઈનોર-2માં ગાબડું પડતા 6 એકર જમીન બેટમાં ફેરવાઈ

  • બનાસકાંઠામાં વાવ તાલુકાના રાછેણા માઈનોરમાં ગાબડું
  • ગાબડું પડતાં છ એકર જમીન બેટમાં ફેરવાઈ
  • રાછેણા માઇનોર બેમાં પડ્યું દસ ફૂટનું ગાબડું
    બનાસકાંઠામાં વાવ તાલુકાના રાછેણા માઈનોર-2માં ગાબડું પડતા 6 એકર જમીન બેટમાં ફેરવાઈ

બનાસકાંઠાઃ સરહદી વિસ્તારમાં રવી સિઝન માટે ખેડૂતો નર્મદાનું સિંચાઈના પાણી માટે જીરું, એરંડા, રાયડા જેવા પાકનું વાવેતર કરે છે. જોકે આજે સવારે રાછેણા માઈનોર બેમાં દસ ફૂટનું ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો. જોકે, ખેડૂતોએ નર્મદા વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ઉપર રોષ ઠાલવ્યો હતો. ખેડૂતોએ જણાવ્યું હતું કે, જેમ કાગળ તૂટે તેમ કેનાલો તૂટી રહી છે. કેનાલમાં હલકી ગુણવતાનું મટિરીયલ વાપરવાથી કેનાલ તૂટી છે તેવા આક્ષેપો કર્યા હતા.

બનાસકાંઠામાં વાવ તાલુકાના રાછેણા માઈનોર-2માં ગાબડું પડતા 6 એકર જમીન બેટમાં ફેરવાઈ
ગાબડું પડતાં છ એકર જમીન બેટમાં ફેરવાઈબનાસકાંઠાના સરહદી પંથકમાં શિયાળુ સિઝન ચાલુ થતાં જ સરકાર દ્વારા બનાવામાં આવેલા નર્મદા નહેર તૂટવાનું ચાલુ થઈ જાય છે. જોકે, કેનાલ તૂટતા જ ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે. જ્યારે રાછેણા માઈનોર બેમાં દસ ફૂટનું ગાબડું પડતા અંદાજિત 6 એકર જમીનમાં તૈયાર કરેલા જીરાનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ખેડૂતે જણાવ્યું હતુ કે, તાત્કાલિક ધોરણે નર્મદા વિભાગ દ્વારા કેનાલ રિપેરીંગ કરે અને થયેલ નુકસાનની ભરપાઈ કરે તેવી માગ છે.

ABOUT THE AUTHOR

...view details