- બંધ મંદિરમાં ઠાકોરજીની નિત્ય ક્રમ મુજબ સેવા થશે
- બંધ મંદિરમાં રામ નવમી પર્વ નિમિત્તે ભગવાનની વિષેશ પૂજા કરવામાં આવી
- ભગવાન શામળિયાની પૂજા અને આરતી ચાલુ રહેશે
અરવલ્લી: કોરોના વાઇરસ વધુ ન ફેલાય તે માટે અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્વ શામળાજી મંદિર ને દસ દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યા હતો. રામ નવમીના દિવસે મંદિર દર્શન માટે ખોલવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જોકે જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા હોવાના કારણે મંદિર ટ્રસ્ટ દ્રારા મંદિરને વધુ દસ દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે બુધવારે રામનવમીના દિવસે બંધ બારણે ભગવાની વિષેશ પુજા કરવામાં આવી હતી. મંદિર બંધ રહે તે દિવસો દરમ્યાન બંધ મંદિરમાં ઠાકોરજીની નિત્ય ક્રમ મુજબ સેવા થશે.