ગુજરાત

gujarat

By

Published : Dec 23, 2020, 8:54 AM IST

Updated : Dec 23, 2020, 9:25 AM IST

ETV Bharat / state

મોડાસાની સહયોગ ચોકડી પર સર્કલ બનાવવાની માંગને લઇ લોકોએ ચક્કાજામ કર્યો

અરવલ્લીના મોડાસાની સહયોગ ચોકડી પાસે સોમવારે બપોરના સમયે ટ્રકે એક્ટિવાને અડફેટે લેતા એકટિવા પર સવાર યુવતીનું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતું. આ ઘટના બાદ મંગળવારના રોજ ઘટના સ્થળે સર્કલ બનાવવાની માંગ સાથે લોકોએ ચક્કજામ કર્યો હતો. ચાર કલાક બાદ મોડાસા એસ.ડી.એમ એ સહયોગ ચોકડી પર આવી તાત્કાલિક ધોરણે બેરીકેડ લગાવાની બાહેંધારી આપતા મામલા થાળે પડ્યો હતો.

મોડાસાની સહયોગ ચોકડી પર સર્કલ બનાવવાની માંગને લઇ લોકો એ ચક્કાજામ કર્યો
મોડાસાની સહયોગ ચોકડી પર સર્કલ બનાવવાની માંગને લઇ લોકો એ ચક્કાજામ કર્યો

  • મોડાસાની સહયોગ ચોકડી પર ગંભીર અકસ્માત
  • ટ્રકે એક્ટિવાને અડફેટે લેતા યુવતીનું ઘટના સ્થળે મોત
  • તાત્કાલિક ધોરણે બેરીકેડ લગાવાની લોકોની માંગ

અરવલ્લી : જિલ્લાના મુખ્યમથક મોડાસા નગરના બાયપાસ રોડ પરથી શામળાજી-ગોધરા એક્ષ્સપ્રેસ હાઇવે શરૂ થાય છે. જેથી ભાર વાહનોથી આ માર્ગ 24 કલાક ધમધમતો રહે છે. બાયપાસ રોડ પર માલપુર અને મેઘરજ તરફ જવાના રોડ પર ઇન્ટરસેક્શન આવેલ છે. જ્યાં છાશવારે અકસ્માત થાય છે. સોમવા ના રોજ પૂરઝડપે આવી રહેલ ટ્રકે એક્ટિવાને અડફેટે લેતા એક્ટિવા પાછળ સવાર એક યુવતીનું મોત થતા ચોકડી પર સર્કલ બનાવાની વર્ષો જુની માંગ ફરીથી ઉઠી હતી.

મોડાસાની સહયોગ ચોકડી પર સર્કલ બનાવવાની માંગને લઇ લોકોએ ચક્કાજામ કર્યો
સહયોગ ચોકડી પર સર્કલ બનાવવા અનેકવાર રજૂઆત

નગરની સહયોગ ચોકડી પર વિવિધ સેવાકીય સંસ્થો દ્વારા છેલ્લાં કેટલાંય વર્ષોથી આવેદનપત્ર આપવાની સાથે જવાબદાર તંત્ર અને વહીવટી તંત્ર સહિત રાજ્યકક્ષાએ અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં સર્કલ ન બનતા મંગળવારના રોજ લોકોએ ચાર કલાક સુધી ચક્કાજામ કર્યો હતો. ચક્કાજામના પગલે 10 કિલોમીટર સુધી વાહનોની કતાર લાગી હતી. જેના પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી લોકોને સમજાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જોકે, લોકો ટસના મસ થયા ન હતા

મોડાસાની સહયોગ ચોકડી પર સર્કલ બનાવવાની માંગને લઇ લોકો એ ચક્કાજામ કર્યો
ચાર કલાક બાદ મામલો એસ.ડી.એમની બાંહેધારી બાદ થાળે પડ્યો
ચાર કલાક સુધી ચક્કાજામ રહેતા છેવટે વહીટીતંત્રએ સ્થળે ઉપર આવી મામલાનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. મોડાસા એસ.ડી.એમ મયંક પટેલે ઘટના સ્થળ પર આવી તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવવાની બાંહેધારી આપી હતી. છેવટે એસ.ડી.એમની બાંહેધારી બાદ મામલો થાળે પડ્યો હતો.
Last Updated : Dec 23, 2020, 9:25 AM IST

ABOUT THE AUTHOR

...view details