અરવલ્લીના ખેડૂતો ખુલ્લા બજારમાં વેચી રહ્યા છે મગફળી, શું છે ખેડૂતોની મજબુરી?
અરવલ્લીઃ જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઈ હતી. જેમાં ટેકાના ભાવે વેચાયેલ મગફળીના નાણાની ચુકવણી 1 માસ બાદ કરવામાં આવતા ખેડૂતો ખુલ્લા બજારમાં નીચા ભાવે મગફળીનું વેચાણ કરવા મજબુર બન્યા હતા.
અરવલ્લીના ખેડૂતો ખુલ્લા બજારમાં વેચી રહ્યા છે મગફળી,
સમગ્ર રાજ્યાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ હતી અને વેચાયેલી મગફળીના નાણાંની ચુકવણી 1 માસ બાદ કરવામાં આવતા ખેડૂતો મુશ્કેલીમા મુકાયા હતા. એક બાજૂ રવિ પાકની સીઝનની વાવણી માટે પૈસાની જરુરિયાત ઉભી થતા ખેડૂતો માર્કેટ યાર્ડમાં મગફળી વેચવા મજબુર બન્યા હતા. માર્કેટના વેપારીઓ પણ ખેડૂતોની મજબુરીનો લાભ ઉઠાવી મણે 250 થી 300 રૂપિયા ઓછા આપી રહ્યા હતા. ખેડૂતોને મગફળીના મણે 750 થી 800 અને 850 સુધીના ભાવ આપતા ખેડૂતોમાં રોષ પ્રવર્તી રહ્યો હતો.