અરવલ્લી: "કૃષિ અને કોવિડ" વિષય પર યુ-ટ્યુબના માધ્યમથી યોજાયેલો રાજ્યકક્ષાનો એક દિવસીય ઓનલાઈન તાલીમ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લાના 38 ખેડૂતોએ ભાગ લીધો હતો.
સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ઉપક્રમે ઉત્તર ગુજરાતના જિલ્લામાં કોરોનાના સમયે ખેડૂતોને માર્ગદર્શન મળી રહે તે માટે વેબિનાર યોજાય હતો.
જેમાં તાજેતરમાં રણ તીડના ઉપદ્રવ, તીડ નિયંત્રણ અંગેના અનુભવો, નિયંત્રણની વ્યુહરચના તેમજ ગ્રામ્ય સ્તરેથી જિલ્લા કક્ષાની ટીમોની ગોઠવણી, મોનીટરીંગ અંગેની નિયંત્રણની કાર્ય પધ્ધતિ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.