- ટ્રેનમાંથી આંગડીયા પેઢીના કર્મચારીના થેલાની ચોરી
- ચોરી થયેલા બેગમાં રૂપિયા 2.15 કરોડના સોનાના દાગીના
- નડીયાદ રેલવે પોલીસે હાથ ધરી તપાસ
ખેડા : અમદાવાદની પટેલ અમૃતલાલ કાંતિલાલની આંગડિયા પેઢીના બે કર્મચારી ટ્રેનમાં બે થેલા લઈ મુંબઈથી અમદાવાદ જઈ રહ્યા હતા. વર્ષોથી પેઢીમાં કામ કરતા આંગડિયા પેઢીના કર્મચારી અભુજી ઠાકોર બે થેલા પોતાની સીટ નીચે મૂકી ભરૂચથી મહેમદાવાદ વચ્ચે રાત્રે ઉંઘ આવતા ઉંઘી ગયા હતા. વહેલી સવારે 4 કાલકે ટ્રેન મહેમદાવાદ પહોંચતા ઉંઘ ઉડતા જોતા બે થેલામાંથી એક થેલો ગાયબ હતો. જેને લઈને ટ્રેનના કોચમાં તપાસ કરતા થેલો મળી આવ્યો ન હતો.
આ પણ વાંચો -બાયડમાં આંગડિયા પેઢી લૂંટ કેસનો આરોપી ઝડપાયો