અરવલ્લીમાં સામાજીક કાર્યકરો અને અધિકારીઓએ ગરીબ બાળકો સાથે દિવાળીની કરી ઉજવણી - અરવલ્લી જિલ્લાના મેઘરજ
અરવલ્લીઃ દિવાળીમાં મોટાભાગના લોકો નવા કપડા, મીઠાઇઓ અને ફટાકડાની ખરીદી કરી પ્રકાશ અને રંગોના તહેવાર હર્ષોલ્લાસથી ઉજવતા હોય છે. જોકે કેટલાક એવા ગરીબ લોકો છે જે આ બધી વસ્તુઓ ખરીદી શકતા નથી. અરવલ્લી જિલ્લાના મેઘરજમાં આવા 100 જેટલા નિરાધાર અને ગરીબ બાળકોને સામાજિક આગેવાનોએ ફટાકડા, કપડાં અને મીઠાઈ વહેંચી હતી.
![અરવલ્લીમાં સામાજીક કાર્યકરો અને અધિકારીઓએ ગરીબ બાળકો સાથે દિવાળીની કરી ઉજવણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4884876-thumbnail-3x2-arvali.jpg)
મેઘરજમાં સામજીક કાર્યકરો અને અધિકારીઓએ ગરીબ બાળકો સાથે દિવાળીની કરી ઉજવણી
સામાજીક આગેવાનો સાથે આ સેવા કાર્યમાં મોડાસા પ્રાંત અધિકારી તેમજ અરવલ્લી નાયબ જિલ્લા વિકાસ અધિકારી પણ જોડાયા હતાં. એટલુ જ નહિં આ અધિકારીઓ અને આગેવાનોએ બાળકો સાથે ઉજવણી પણ કરી હતી. દિવાળી ખુશીઓનો તહેવાર છે. પરંતુ, અમુક લોકો પાસે પુરતા પૈસા નથી હોતા તેવા લોકો માટે દિવાળી ઉજવવી તે સ્વપ્ન સમાન છે, તેવામાં આવા લોકોને દિવાળી ઉજવણી માટે મદદ કરવા સામાજિક કાર્યકરો આગળ આવે છે. તેવી જ રીતે સામાજીક કાર્યકરો અને અધિકારીઓએ ગરીબ બાળકો માટે દિવાળીના શાંતાક્લોજ બન્યાં હતાં.
અરવલ્લીમાં સામાજીક કાર્યકરો અને અધિકારીઓએ ગરીબ બાળકો સાથે દિવાળીની કરી ઉજવણી