અરવલ્લીમાં સિધ્ધુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યો હતા. સભાને સંબોધતા સિધ્ધુએ જણાવ્યું હતું કે, ફિલ્મનો અભિનેતા પિક્ચરમાં 3 કલાક બેવકૂફ બનાવે છે, અને મોદી આખી જિંદગી લોકોને બેવકૂફ બનાવે છે. આ ઉપરાંત, ભાજપના નેતાઓ દ્રારા સિધ્ધુને દેશના ગદ્દાર ગણાવવા બદલ તેમણે જણાવ્યુ હતું કે “ હું સ્વાતંત્ર્ય સેનાનીનો પુત્ર છું અને ગોધરાકાંડ કરાવવા વાળા મોદી તમે મને રાષ્ટ્ર ભક્તિ વિશે પૂછો છો”
અરવલ્લીમાં નવજોત સિધ્ધુએ કર્યા મોદી પર આકરા પ્રહારો - gujarat news
અરવલ્લીઃ જિલ્લાના બાયડમાં કોંગ્રેસના નેતા નવજોત સિધ્ધુએ ચૂંટણી સભા યોજી હતી. જેમાં સિધ્ધુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વ્યગાંત્મક પ્રહારો કર્યો હતા.
![અરવલ્લીમાં નવજોત સિધ્ધુએ કર્યા મોદી પર આકરા પ્રહારો](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-3033391-thumbnail-3x2-sssiiii.jpg)
સ્પોટ ફોટો
સિધ્ધુએ કર્યા મોદી પર આકરા પ્રહારો
આ પ્રસંગે 25થી વધુ કાર્યકરો ભાજપ છોડી કોંગ્રેસમાં પ્રવેશ્યા હતા અને નવજોત સિધ્ધુના હસ્તે કોંગ્રેસનો ખેસ પહેરી પ્રવેશ કર્યો હતો. સભામાં ચોકીદાર ચોર હૈ ના નારા પણ લગાવવામાં આવ્યા હતા.