ગુજરાત

gujarat

ETV Bharat / state

ખંભીસર દલિત વરઘોડા મામલે ખંભીસર પંચાયતના સરપંચ સસ્પેન્ડ

મોડાસા તાલુકાના ખંભીસર ગામે દલિત વરરાજાનો વરઘોડો રાકવા મામલે ખંભીસર પંચાયતના સરપંચ સસ્પેન્ડ કરાયો. અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી ડૉ. અનિલ ધામલીયા નૈતિક અધઃપતનના ગુનામાં ગુજરાત પંચાયત અધિનિયમ કલમ-59(1) મુજબ સરપંચ હોદ્દા પરથી દૂર કરવાનો આદેશ કર્યો.

By

Published : Jan 22, 2020, 5:29 PM IST

dalit varghodo rokvani ghatna
ખંભીસર દલિત વરઘોડા મામલે ખંભીસર પંચાયતના સરપંચ સસ્પેન્ડ

અરવલ્લીઃ મોડાસા તાલુકાના ખંભીસર બહુચર્ચિત ખંભીસર વરઘોડા મામલે ગામના સરપંચ બળદેવભાઈ ધુળાભાઈ પટેલ સામે પણ IPC એક્ટ, એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. આ અંગે તેમની પ્રાથમિક સંડોવણી જણાતા, અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી ડૉ.અનિલ ધામલીયા નૈતિક અધઃપતનના ગુનામાં ગુજરાત પંચાયત અધિનિયમ કલમ -૫૯(૧) મુજબ સરપંચ હોદ્દા પરથી દૂર કરવાનો આદેશ કર્યો હતો.

ખંભીસર દલિત વરઘોડા મામલે ખંભીસર પંચાયતના સરપંચ સસ્પેન્ડ

અત્રે ઉલ્લેખનીય છે કે, ખંભીસર ગામે દલિત યુવકનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. તે સમયે ગામના જ એક કોમના લોકોએ ગામના જે રસ્તાઓ ઉપરથી વરઘોડો નિકળવાનો હતો, પરંતું વરઘોડો જે માર્ગો પર નિકળવાનો હતો તે માર્ગો પર યજ્ઞકુંડ બનાવી અને મહિલાઓ દ્વારા રસ્તાઓ પર ભજન કિર્તનના કાર્યક્રમો કરી વરઘોડો રોકવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ કરાણે સમગ્ર મામલો બીચકાયો હતો. આ સમયે જૂથ અથડામણ પણ થઇ હતી. જેમાં મોડાસા રૂરલ પોલીસ મથકે એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ કેસમાં ખંભીસરના સરપંચ પણ સામેલ હોવા અંગેનો ગુનો નોંધાયો હતો. જેને પગલે તાલુકા વિકાસ અધિકારીએ ખંભીસરના સરપંચ બળદેવ પટેલ પાસેથી સરપંચને હોદ્દા પરથી મોકૂફ કેમ ન કરવા તે અંગે લેખિતમાં ખુલાસો જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ આપવા માટેની નોટીસ પાઠવ્યા બાદ બુધવારે જિલ્લા વિકાસ અધિકારી ડૉ. અનિલ ધામલીયાએ ખંભીસર ગામના સરપંચ બળદેવભાઈ ધુળાભાઈ પટેલને બહુચર્ચિત ખંભીસર વરઘોડા પ્રકરણમાં પંચાયત અધિનિયમ કલમ -59(1) મુજબ હોદ્દા પરથી દૂર કરવાનો આદેશ કરતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details