ગુજરાત

gujarat

ETV Bharat / state

શામળાજી મંદિર ખાતે જન્માષ્ટમીની તૈયારીઓ પૂર્ણ - શામળાજી મંદિર

યાત્રાધામ શામળાજી ખાતે બુધવારે જન્માષ્ટમી ઉજવણી ભાવ અને શ્રધ્ધાથી ઉજવવામાં આવશે, ત્યારે આ ભગવાનના જન્મોત્સવને વધાવવા યાત્રાધામ ખાતે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

ETV BHARAT
શામળાજી મંદિર ખાતે જન્માષ્ટમીની તૈયારીઓ પૂર્ણ

By

Published : Aug 12, 2020, 2:49 AM IST

અરવલ્લી: જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ અરવલ્લી જિલ્લાનું શામળાજી મંદિર ઝગમગી રહ્યુ છે. યાત્રાધામ ખાતે ભગવાનનો જન્મોત્સવ ભક્તિ ભાવ પૂર્વક ઉજવવા મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. શામળાજી મંદિરને આસોપાલવ, કેળ, વાંસ, ફૂલ તેમજ લાઈટોની રોશનીથી શણગારવામાં આવ્યું છે.

શામળાજી મંદિર ખાતે જન્માષ્ટમીની તૈયારીઓ પૂર્ણ

જન્માષ્ટમીના દિવસે સરકારના માર્ગ દર્શનનું પાલન કરી ભક્તોને સેનિટાઇઝ અને સ્ક્રીનિંગ કરી માસ્ક સહિત સોસીયલ ડિસ્ટન્સ સાથે મંદિરમાં પ્રવેશ અપવામાં આવશે. આ ઉપરાંત મંદિરમાં ભગવાનના જન્મ અને આરતી સમયે પણ ફક્ત સેવકગણ અને મંદિરના પૂજારીને જ પ્રવેશ આપવામાં આવશે. આ સાથે જ ભગવાનનો પ્રસાદ તેમજ ભંડારો પણ બંધ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત દર વર્ષે ભગવાન શામળિયાના જન્મોત્સવ નિમિત્તે કાઢવામાં આવતી શોભાયાત્રા મટકીફોડ તેમજ અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમોને પણ રદ કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details