ગુજરાત

gujarat

ETV Bharat / state

કોંગ્રેસની રેલીમાં શત્રુઘ્ન સિન્હા ન આવતા લોકો થયા નિરાશ - congress

અરવલ્લી: મોડાસા ખાતે સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ઠાકોરના સમર્થનમાં જનસંમેલન સભા યોજાયુ હતુ. સભાના મુખ્ય પ્રવક્તા ફિલ્મ અભિનેતા અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક શત્રુઘ્ન સિન્હા ઉપસ્થિત રહેવાના હોવાથી લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા, પરંતુ તેમનો કાર્યક્રમ રદ થતાં લોકો નિરાશ થયા હતા.

સ્ટાર પ્રચારક ન આવતા લોકો થયા નિરાશ

By

Published : Apr 20, 2019, 5:19 PM IST

લોકસભા બેઠકના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ઠાકોરના સમર્થનમાં મોડાસા ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રવક્તા તરીકે હાલમાં જ ભાજપમાંથી કોંગ્રેસમાં સામેલ થયેલા ફિલ્મ અભિનેતા શત્રુઘ્ન સિન્હા સામેલ થવાના હતા, પરંતુ કોઇ કારણોસર તે પહોંચી ન શકતા લોકો નિરાશ થયા હતા. તેના સ્થાને ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે સભાને સંબોધી મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

સ્ટાર પ્રચારક ન આવતા લોકો થયા નિરાશ

આ ઉપરાંત વધુમાં ગણપત વસાવાએ રાહુલ ગાંધી જ્યારે ઊભા થાય છે ત્યારે ગલુડિયા જેવા દેખાય છે તેવું નિવેદન સામે રાજીવ સાતવે ભાજપની આવી જ માનસિકતા અને વિચારશૈલી હોવાનું જણાવ્યું હતું. સભાના અંતે કેટલાક પાટીદાર નેતાઓ ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાતા તેમને કોંગ્રેસનો ખેસ પહેરાવી તેનુ સ્વાગત કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details