ગુજરાત

gujarat

By

Published : Dec 23, 2020, 1:35 PM IST

Updated : Dec 23, 2020, 1:51 PM IST

ETV Bharat / state

અરવલ્લીના પંચાલ સમાજે વિશ્વકર્મા જયંતી નિમેત્તે જાહેર રજાની માંગ સાથે કલેકટરને આપ્યુ આવેદનપત્ર

ગુજરાત પંચાલ યુવા સંગઠન અને સમાજના અગ્રણીઓ દ્વારા મંગળવારે ભગવાન વિશ્વકર્મા જયંતી નિમિત્તે જાહેર રજા રાખવા આવે ને માંગ સાથે અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં પંચાલ સમાજના યુવાનો કલેકટર કચેરીએ પહોંચ્યા હતા.

ચાલ સમાજે વિશ્વકર્મા જયંતી
ચાલ સમાજે વિશ્વકર્મા જયંતી

  • વિશ્વકર્મા જયંતી નિમિત્તે જાહેર રજા રાખવાની માંગ
  • મોટી સંખ્યામાં પંચાલ સમાજના યુવાનો કલેકટર કચેરીએ પહોંચ્યા
  • નાનાં મોટા ઉદ્યોગોથી જોડાયેલ લોકો પૂજા અર્ચનાથી વંચિત


અરવલ્લી : ગુજરાત પંચાલ યુવા સંગઠન અને સમાજના અગ્રણીઓ દ્વારા મંગળવારે ભગવાન વિશ્વકર્મા જયંતી નિમિત્તે જાહેર રજા રાખવા આવે ને માંગ સાથે અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં પંચાલ સમાજના યુવાનો કલેકટર કચેરીએ પહોંચ્યા હતા.
ભગવાન વિશ્વકર્માની જયંતિ મહા સુદ તેરસના દિવસે ઉજવામાં આવે

વાસ્તુકલાના દેવ ભગવાન વિશ્વકર્માની જયંતિ મહા સુદ તેરસના દિવસે ઉજવામાં આવે છે.આ દિવસે ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ ઉત્સવની ઉજવણી સુથાર, પંચાલ, લુહાર, કડિયા, સોની સમાજના લોકો કરે છે. જોકે આ દિવસે જાહેર રજા ન હોવાથી સરકારી, બેન્કિંગ, કારખાના અને નાનાં મોટા ઉદ્યોગોથી જોડાયેલ લોકો પૂજા અર્ચનાથી વંચિત રહી જાય છે.

યુવા સંગઠનના સભ્યો મોટી સંખ્યમાં હાજર રહ્યા

પંચાલ સમાજના સૌ લોકો વિશ્વકર્મા જયંતી નિમિત્તે ઉત્સવ માણી શકે તે માટે ગુજરાત સરકાર વિશ્વકર્મા જયંતિએ જાહેર રજાનું સત્વરે અમલીકરણ કરે તેવી માંગ કરવામાં આવી રહી છે.આ સંદર્ભે પંચાલ યુવા સંગઠન દ્રારા જિલ્લા કલેકટર ને આવેદન પત્ર આપી જણાવ્યુ હતું કે, દેશના નિર્માણમાં મહત્વની કામગીરી કરતા લોકો ભગવાન વિશ્વકર્માની પુજા અર્ચનામાં ભાગ લઇ શકે તે માટે વિશ્વકર્મા જયંતિ નિમીતે રજા જાહેર કરવામાં આવે. અરવલ્લી જિલ્લા યુવા સંગઠનના જીગ્નેશ પંચાલ, અનીલ પંચાલ અને તેમની ટીમે મોટી સંખ્યામાં જિલ્લા સેવાસદનમાં પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતું.

Last Updated : Dec 23, 2020, 1:51 PM IST

ABOUT THE AUTHOR

...view details