અરવલ્લી : જિલ્લામાં કોરોનાનો વ્યાપ વધતા કુલ આંક 270ને પાર પંહોચી ગયો છે. જેમાં મોડાસા નગરમાં 140થી વધુ કેસ નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધી 29 વ્યક્તિઓનું કોરોનાથી મૃત્યુ થયુ છે. જેમાં મુખ્ય મથક મોડાસા નગરમાં જ 24 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. હાલ અરવલ્લી જિલ્લામાં કોવીડ-19ના 29 એકટીવ કેસ સારવાર હેઠળ છે.
અરવલ્લીમાં કોરોનાથી વધુ એકનું મોત, કુલ મૃત્યુઆંક 29 થયો - કોવીડ-19
અરવલ્લી જિલ્લામાં કોવીડ-19થી વધુ એક મોત થતા મૃત્યુઆંક 29 પર પહોંચ્યો છે. જ્યારે સોમવારના રોજ કોરોના પોઝિટિવના વધુ ત્રણ કેસ નોંધાતા કોરોનાગ્રસ્ત દર્દીઓનો આંક 271 પર પહોંચ્યો છે. આ પૈકી 213 દર્દીની સારવાર પૂર્ણ થતાં તેઓને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

નોંધનીય છે કે બાયડ તાલુકાના ગાબટ ગામના તબીબ ડૉ.ભાઇલાલભાઈ પટેલ અને બાયડ નગરના સપન હોસ્પિટલ ધરાવતાં એક સિનિયર ડોક્ટરના પત્નીનું અમદાવાદમાં સારવાર દરમિયાન કોરોનાથી મોત નિપજતાં ભારે ચકચાર મચી હતી. હાલમાં વાત્રક કોવિડ હોસ્પિટલ આઈસોલેશનમાં ત્રણ તેમજ મોડાસા સાર્વજનિક હોસ્પિટલ આઇસોલેશનમાં 16 પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે. તેમજ અરવલ્લી જિલ્લાના આઠ પોઝિટિવ કેસ હિમતનગર સીવીલ હોસ્પિટલમાં, અમદાવાદની હોસ્પિટલમાં એક તેમજ ગાંધીનગરની હોસ્પિટલમાં એક સારવાર હેઠળ છે. આમ, કુલ-29 પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે.