ભાજપના નેતા વિનય કટિયારે સભા સંબોધન દરમિયાન વિવાદાસ્પદ સ્પીચ આપીને ફરી ચર્ચામાં આવ્યા હતા. આ સભા દરમિયાન કટિયારે કહ્યું કે, 2002ના તોફાનોના ગોધરા ક્યારે પણ ભૂલી નહીં શકે.
BJP નેતા વિનય કટિયારેની જીભ લપસી, 2002ના રમખાણોને ગણાવ્યા યોગ્ય
અરવલ્લી: ભાજપના નેતા વિનય કટિયારે સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર દીપસિંહ રાઠોડ માટે ભિલોડામાં ચૂંટણી સભા યોજી હતી. જે સભા સંબોધનને લઇને ભાજપ નેતા ફરી પાછા હાઇલાઇટ્સમાં આવ્યા હતા. તેને સભા દરમિયાન પોતાનું ભાન ભુલીને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.
ભાજપ નેતા ફરી આવ્યા વિવાદમાં
આ ઉપરાંત કટિયારે કોંગ્રેસના પંજાને આતંકવાદી પંજો ગણાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, BJPના નેતા વિનય કટિયાર વિવાદાસ્પદ ભાષણો માટે પ્રખ્યાત છે.