દેશના બંધારણના ઘડવૈયા બાબા સાહેબે કરેલા કાર્યો અને બંધારણીય અધિકારીકતાની જાગૃતિ માટે ભીમ ડાયરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્ર્મમાં બહુજન સાહિત્યકાર વિશન કાથડેએ ભજન પીરસી લોકોને ડોલાવ્યા હતા.
મોડાસાના દઘાલીયા ગામે "એક શામ ર્ડો.ભીમરાવ કે નામ” ડાયરાનું આયોજન
અરવલ્લીઃ જિલ્લાના મોડાસાના દઘાલીયા ગામે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા રવિવારે રાત્રે “એક શામ ર્ડો. ભીમરાવ કે નામ” ડાયરનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોડાસાના દઘાલીયા ગામે "એક શામ ર્ડો.ભીમરાવ કે નામ” ભીમ ડાયરો યોજાયો
ભીમ ડાયરામાં અરવલ્લી-સાબરકાંઠા જિલ્લાના અનુ.જાતિ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. જેમાં વિશન કાથડે સાયરા 19 વર્ષીય “નિર્ભયા” ને ભજનરૂપી શ્રદ્ધાંજલિ આપી હતી.